કોંગ્રેસ-પાસ ફરી સાથે, હાર્દિક રાજકોટમાં કરશે સત્તાવાર જાહેરાત
કોંગ્રેસ અને પાસ વચ્ચે સહમતિ સધાઇઅનામત અંગે સોમવારે રાજકોટમાં હાર્દિક કરશે અધિકૃત ઘોષણાઆ અંગે વધુ જાણો અહીં...
છેલ્લા 2 દિવસથી અનામત મુદ્દે પાસ અને કોંગ્રેસ વચ્ચે વિખવાદ સર્જાયો હતો, જે રવિવારની બેઠક બાદ પૂર્ણ થયો છે. રવિવારે સાંજે 5 વાગે આખરે કોગ્રેસ અને પાસની બેઠક થઇ હતી, જેમાં અનામતના મુદ્દાએ સહમતિ સધાઇ હોવાનું જાણવા મળ્યું છે. જો કે, અનામદ મુદ્દે શું સહમતિ સધાઇ એ અંગે પાસ કે કોંગ્રેસ દ્વારા કોઇ જાણકારી આપવામાં આવી નહોતી. આ બેઠકમાં પાસ કોર કમિટિના સભ્યો તથા કોંગ્રેસ તરફથી ભરતસિંહ સોલંકી અને સિદ્ધાર્થ પટેલ હાજર રહ્યા હતા. બેઠક બાદ પાસ કોર કમિટિના સભ્ય દિનેશ બાંભણિયાએ જણાવ્યું હતું કે, બેઠક સકારાત્મક રહી. અનામદ મુદ્દે પાસ અને કોંગ્રેસ વચ્ચે સહમતિ સધાઇ છે. બંધારણીય અનામત અંગેની કોંગ્રેસે અમારી તમામ માંગણીઓ સ્વીકારી લીધી છે. આ અંગે હવે હાર્દિક પટેલ દ્વારા સોમવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીના મતવિસ્તાર રાજકોટમાં અધિકૃત જાહેરાત કરવામાં આવશે.

પાસ કન્વીનરોને મળશે ટિકિટ?
પાસ અને કોંગ્રેસ વચ્ચે શું આખરી નિર્ણય લેવાયો એ અંગે કોઇ સ્પષ્ટ જાણકારી આપવામાં નહોતી આવી. પાસ કન્વીનરોને કોંગ્રેસ ટિકિટ આપવાની વાતો પણ ચર્ચાઇ રહી છે. આ અંગે જ્યારે દિનેશ બાંભણિયાને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું હતું કે, 'અમારો પહેલો અને છેલ્લો મુદ્દો અનામત છે. ટિકિટ અમે ક્યારેય માંગી નથી અને માંગીશુ પણ નહીં. આ બેઠકમાં પણ ટિકિટ અંગે કોઇ જ ચર્ચા નથી થઇ. જો સમાજના ભલા માટે કોઇ પાસ કાર્યકર્તાને ટિકિટ આપવમાં આવશે અને એ સમાજની ભલાઇ માટે કામ કરનાર હશે, તો સમાજ નિર્ણય લેશે કે તે ઉમેદવારને સમર્થન આપવું કે નહીં અને પાસ પણ તો જ એ ઉમેદવારનું સમર્થન કરશે.' પાસ કન્વીનરોને ટિકિટ મામલે પણ રાજકોટની હાર્દિક પટેલની પત્રકાર પરિષદમાં જ સ્પષ્ટતા થવાની શક્યતા છે.
લલિત વસોયાએ નથી આપ્યું રાજીનામુ
ઉલ્લેખનીય છે કે, રવિવારે સવારે સમાચાર આવ્યા હતા કે પાસના લલિત વસોયા પાસમાંથી રાજીનામુ આપી કોંગ્રેસમાં જોડાશે અને ધોરાજી બેઠક માટે સોમવારે સવારે ઉમેદવારી ફોર્મ ભરશે. આ અંગે જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે દિનેશ બાંભણિયાએ કોઇ સ્પષ્ટ જવાબ આપ્યો નહોતો. તેમણે ફરી એમ જ કહ્યું હતું કે, આ અંગે સમાજ નિર્ણય લેશે. લલિત વસોયાએ પણ આ અંગે જણાવ્યું હતું કે,પાસમાંથી રાજીનામું આપ્યું હોવાની વાતો માત્ર આફવા છે. હું સમિતિ કહેશે એ પ્રમાણે જ કરીશ. જો કોંગ્રેસના ઉમેદવાર તરીકે અને પાસના કન્વીનર તરીકે, એમ બેમાંથી એકની પસંદગી કરવી પડે એમ હોય તો હું પાસના કન્વીનર તરીકે રહેવાનું જ વધારે પસંદ કરીશ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
