પાસ અને કોંગ્રેસ વચ્ચેની બેઠક પૂર્ણ, પાસનું હકારાત્મક વલણ
ગુજરાત કોંગ્રેસ દ્વારા સોમવારે પાટીદાર અનામત આંદોલન સમિતિને ઓબીસી અનામત મુદ્દે ચર્ચા કરવા માટે આમંત્રણ. જેમાં પાસ તરફથી હાર્દિક દ્વારા કોર કમીટીની ટીમ નક્કી કરવામાં આવી. આ અંગે વધુ વાંચો અહીં.
ગુજરાત કોંગ્રેસ દ્વારા સોમવારે પાટીદાર અનામત આંદોલન સમિતિને ઓબીસી અનામત મુદ્દે ચર્ચા કરવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ માટે પાસ તરફથી હાર્દિક દ્વારા કોર કમીટીની ટીમ નક્કી કરવામાં આવી હતી. જેમાં દિનેશ બામભણીયા, અલ્પેશ કથિરીયા, લલીત વસોયા, ઉદય પટેલ, કીરીટ પટેલ, ગીતા પટેલ, હર્ષદ પટેલ, અતુલ પટેલ અને મનોજ પનારાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. પાસ અને કોંગ્રેસ વચ્ચેની આ બેઠક પૂર્ણ થઇ ચૂકી છે. આ બેઠકમાં ચર્ચાયેલ મહત્વના મુદ્દાઓ અને નિર્ણય નીચે મુજબ છે.

બેઠકમાં શું ચર્ચા થઇ?
કોંગ્રેસ પાટીદાર દમન મુદ્દે સ્પેશ્યિસ ઇન્વેસ્ટિગેશનની ટીમ દ્વારા તપાસ કરાવવા માટે તૈયાર થઇ છે. કોંગ્રેસે 35 લાખ રૂપિયાની આર્થિક સહાય અને મૃતક પરિવારમાં એક વ્યક્તિને નોકરીની ખાતરી આપી છે, તેમજ બંધારણીય રીતે બિન અનામત આયોગની સ્થાપના તથા રૂપિયા 2000 કરોડની ફાળવણી કરવાની ખાતરી પણ કોંગ્રેસે આપી હતી. આ અંગે પાસના અલ્પેશ કથિરીયાએ કહ્યું હતું કે, અનામત મુદ્દે કાયદાકીય તેમજ ટેક્નિકલ બાબતે ચર્ચા બાકી હોવાથી ફરીથી મીંટીગ કરાશે.
હાર્દિકે આપ્યું હતું અલ્ટિમેટમ
ઉલ્લેખનીય છે કે, ત્રણ દિવસ પહેલા હાર્દિક પટેલે ટ્વીટ દ્વારા કોંગ્રેસને તા.3જી નવેમ્બરનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું. હાર્દિકે કહ્યું હતું કે તા. 3 પહેલા કોંગ્રેસ ઓબીસી અનામત મુદ્દે પોતાનું સ્ટેન્ડ સ્પષ્ટ કરે, નહીં તો અમિત શાહ જેવા હાલ સુરતમાં રાહુલ ગાંધીના થશે. હાર્દિક પટેલની આ ચીમકી બાદ રવિવારે સાંજે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ તેમને ચર્ચા માટે બોલાવ્યા હતા. જો કે, આ બેઠકમાં હાર્દિક પટેલ હાજર નહીં રહે. બીજી તરફ રવિવારે જ કોગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે મીડિયા સમક્ષ એ વાત કરી હતી કે, કોંગ્રેસ 20 ટકા અનામત આર્થિક રીતે પછાત લોકોને આપવા તૈયાર છે અને 49 ટકાની મર્યાદામાં કોઇ અસર ન પડે તે રીતે પાટીદાર માટે પણ ઓબીસીમાં સમાવેશ કરવા માટેની વિચારણા કરી રહી છે. ત્યારે આજે શક્તિસિંહ ગોહિલ, ભરતસિંહ સોંલકી સહિતના નેતા પાસ કોર કમીટી સાથે મીટીગ કરશે. બીજી તરફ સોમવારે સાંજે પાસ લીડર હાર્દિક પટેલ રાજકોટમાં આ મુદ્દે મીડિયા સાથે બેઠક કરી પાસનું સ્ટેન્ડ નક્કી કરે તેવી પુરેપુરી શક્યતા છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
