ગુજરાતમાં પેટાચૂંટણીનો પ્રચાર આજે સાંજથી બંધ, મતદાન દિવસ પર નજર
અમદાવાદ, 11 સપ્ટેમ્બર : આજે ગુજરાત વિધાનસભાની 9 બેઠકો અને વડોદરા લોકસભા બેઠકની ચૂંટણી માટે સાંજે પાંચ વાગે પ્રચાર બંધ થશે. છેલ્લો દિવસ હોવાથી ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ સાંજે પાંચ વાગ્યા સુધીમાં વ્યાપક પ્રચારનું આયોજન કરીને મતદારોને પોતાની તરફેણમાં રીઝવવાનો છેલ્લો પ્રયત્ન કરી રહ્યા છે. નોંધનીય છે કે 13 સપ્ટેમ્બરે મતદાન યોજાયા બાદ 16 સપ્ટેમ્બરે મતગણતરી બાદ પરિણામ જાહેર કરવામાં આવશે.
ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના અગ્રણી નેતા આનંદીબહેન પટેલ પેટા ચૂંટણીઓ માટેના પ્રચારની પોતાની છેલ્લી સભા માંગરોળ ખાતે સંબોધવાના છે. ભાજપ દ્વારા વડોદરા લોકસભા વિસ્તારમાં પૂર અને અતિવૃષ્ટિથી પીડિતોને રાહત માટે કાર્યકરોનું જનઅભિયાન ચલાવવાનું નક્કી કર્યું છે. નોંધનીય છે કે ભારે વરસાદને પગલે વડોદરામાં આનંદીબેનની જાહેરસભા રદ કરવી પડી હતી.

બીજી તરફ કોંગ્રેસે પણ માંગરોળ વિધાનસભામાં આવતાં માળિયા ખાતે શંકરસિંહ વાઘેલાની જાહેરસભાનું આયોજન કર્યું છે. કોગ્રેસે દ્વારા વ્યાપક પ્રચાર કરવા માટે રેલીનું આયોજન કર્યું છે. વડોદરા શહેરમાં પાંચ અને ગ્રામ્ય વિસ્તારમાં બે થઇને કુલ સાત રેલીઓ યોજવામાં આવી હતી. જ્યારે અમદાવાદના મણિનગરમાં ત્રણ રેલી હાટકેશ્વર- ખોખરા, ઘોડાસર- ઈસનપુર તથા લાંભામાં રાણીપુર ગામની રેલી યોજવાનું આયોજન છે.
ખંભાળિયા ખાતે કોંગ્રેસની મહિલા પાંખ, NSUI તથા યુવક કોંગ્રેસ અલગ અલગ રેલી યોજશે. આ રેલી છેલ્લે કોંગ્રેસ કાર્યાલય ખાતે સભામાં ફેરવાઈ જશે. કોંગ્રેસે આણંદ ખાતે બપોરે 2 વાગે યુવા સંમેલનનું આયોજન કર્યું છે. આ સંમેલનને ભરતસિંહ સોલંકી છેલ્લા દિવસનું માર્ગદર્શન આપશે.
કોંગ્રેસે લીમખેડા બેઠક માટે કોંગ્રેસના પૂર્વ કેન્દ્રીય મંત્રી તુષાર ચૌધરીએ કાર્યકરોની બેઠકનું આયોજન કર્યું છે અને તેમાં છેલ્લા દિવસની તૈયારીઓ અને સાવચેતી અંગે માર્ગદર્શન આપશે.
આ પેટાચૂંટણીમાં કઇ બેઠક પર ભાજપ અને કોંગ્રેસે કયા ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા છે તેના પર એક નજર કરીએ...
લોકસભા બેઠક - ભાજપ - કોંગ્રેસ
20 - વડોદરા - રંજનબેન ભટ્ટ - નરેન્દ્રભાઇ રાવત
વિધાનસભા બેઠક - ભાજપ - કોંગ્રેસ
13 - ડીસા - લેબજીજી ઠાકોર - ગોવાભાઇ રબારી
53 - મણિનગર - સુરેશ પટેલ - જતીન કેલ્લા
66 - ટંકારા - ભવાનજી પટેલ - લલિત કગથરા
81 - ખંભાળિયા - મૂલૂ બેરા - મેરામણભાઇ આહિર
89 - માંગરોળ - લક્ષમણ જાદવ - બાબુભાઇ વાજા
100 - તળાજા - શિવાભાઇ ગોહિલ - પ્રવીણભાઇ વાળા
112 - આણંદ - રોહિતભાઇ પટેલ - કાંતિભાઇ સોઢાપરમાર
115 - માતર - કેસરીસિંહ સોલંકી - કાળીદાસ પરમાર
131 - લીમખેડા(ST) - વીંછીયા જોખાભાઇ - ભૂરિયા છત્રસિંહ મેડા
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
