ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ

ગુજરાત સરકારે રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલની અછત હોવાની અફવાઓને ખોટી ગણાવીને સ્પષ્ટતા કરી છે. સરકારે ખાતરી આપી છે કે હાલ રાજ્યના તમામ શહેરોમાં ઈંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, તેથી નાગરિકોએ ચિંતા કરવાની જરૂર નથી.

અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના અધિક મુખ્ય સચિવ મોના ખંધારે લોકોને ગભરાટમાં ન આવવા અપીલ કરી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, "રાજ્ય પાસે પૂરતો બફર સ્ટોક છે અને પંપ પર લાઈનો લગાવવી બિનજરૂરી છે."

રાજ્ય સરકારે ડીલરોને કડક ચેતવણી આપી છે કે, સ્ટોક ઉપલબ્ધ હોવા છતાં જો કોઈ વેચાણ બંધ રાખશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે ઈંધણની કૃત્રિમ અછત ઊભી કરનારાઓ સામે કાયદેસરના સખત પગલાં લેવામાં આવશે.

IOCL ના અધિકારીઓએ પણ પરિસ્થિતિ સામાન્ય હોવાની ખાતરી આપી છે, જણાવ્યું કે કંપનીના તમામ ડેપો અને ટર્મિનલ્સ પર પૂરતી ઇન્વેન્ટરી તૈયાર છે. સપ્લાય ચેઈન સતત સક્રિય હોવાથી ગમે ત્યારે ઈંધણ ઉપલબ્ધ રહેશે.

પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશને માહિતી આપી કે ઓઈલ કંપનીઓએ સપ્લાયના કલાકો અને જથ્થામાં નોંધપાત્ર વધારો કર્યો છે. તેમણે લોકોને સોશિયલ મીડિયા પર ફેલાતી ખોટી અફવાઓથી દૂર રહીને બિનજરૂરી ભીડ ન કરવા વિનંતી કરી.

સત્તાવાર રીતે ખાતરી આપવામાં આવી છે કે ગુજરાતમાં ભવિષ્યમાં પણ ઈંધણની કોઈ તકલીફ ઊભી નહીં થાય. નાગરિકોને અફવાઓથી દૂર રહીને, સામાન્ય દિવસોની જેમ જ પોતાની જરૂરિયાત મુજબ પેટ્રોલ અને ડીઝલ ખરીદવા અનુરોધ કરાયો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X