ગુજરાતના સ્પીકરે બાબા સાહેબ અને પીએમ મોદીને બ્રાહ્મણ ગણાવ્યા
ગુજરાત વિધાનસભા સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદી પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં છે. ત્રિવેદીએ નરેન્દ્ર મોદીના વખાણ કરતા તેમની તુલના બાબા સાહેબ સાથે કરી નાખી.
ગુજરાત વિધાનસભા સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદી પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં છે. ત્રિવેદીએ નરેન્દ્ર મોદીના વખાણ કરતા તેમની તુલના બાબા સાહેબ સાથે કરી નાખી. રાજેન્દ્ર ત્રિવેદી ઘ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને બાબા સાહેબને બ્રાહ્મણ ગણાવતા કહ્યું કે ભગવાન કૃષ્ણ ઓબીસી જાતિના હતા, પરંતુ ઋષિ સંદીપનીએ તેમને ભગવાન બનાવ્યા. રાજેન્દ્ર ત્રિવેદી ઘ્વારા આ નિવેદન ત્યારે આપવામાં આવ્યું હતું જયારે તેઓ ગાંધીનગરમાં વિશાલ બ્રાહ્મણ બિઝનેસ સમિટ સંબોધિત કરી રહ્યા હતા. તેમને જણાવ્યું કે બ્રાહ્મણ બુદ્ધિમાન હોય છે અને પીએમ મોદી અને આંબેડકર બુદ્ધિમાન છે.

બ્રાહ્મણ સત્તાના ભૂખ્યા નથી
ત્રિવેદી ઘ્વારા જણાવવામાં આવ્યું કે બ્રાહ્મણ ક્યારેય પણ સત્તાના ભૂખ્યા નથી રહ્યા. તેમને ઘણા રાજાઓને સફળતા અપાવી છે. જેમાં ચંદ્રગુપ્ત મોર્યથી લઈને ભગવાન રામ અને કૃષ્ણ પણ શામિલ છે. બ્રાહ્મણએ ભગવાનને બનાવ્યા. તેમને આગળ કહ્યું કે ભગવાન રામ ક્ષત્રિય હતા, પરંતુ ઋષિ મુનિઓ ઘ્વારા તેમને ભગવાન બનાવવામાં આવ્યા. ગોકુલના ચરવાહા આજે ઓબીસી તરીકે ઓળખાય છે. ભગવાન કૃષ્ણ ઓબીસીમાં આવે છે પરંતુ સંદીપની ઋષિએ તેમને ભગવાન બનાવ્યા.
ચંદ્રગુપ્તને બ્રાહ્મણ ઘ્વારા મળી સલાહ
ગુજરાત વિધાનસભા સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદી ઘ્વારા જણાવવામાં આવ્યું કે ભગવાન વ્યાસ મત્સ્યકન્યા ના દીકરા હતા અને બ્રાહ્મણએ તેમને ભગવાન બનાવ્યા. રાજેન્દ્ર ત્રિવેદીએ ભાજપા ટિકિટ પર ગયા વર્ષે ગુજરાત વિધાનસભા ઈલેક્શન વડોદરાથી જીત્યું હતું. ત્યારપછી ત્રિવેદીને મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ઉપમુખ્યમંત્રી નીતિન પટેલની હાજરીમાં વિધાનસભા સ્પીકરની શપથ અપાવવામાં આવી હતી. ત્રિવેદીએ કહ્યું કે ચંદ્રગુપ્ત મોર્યને ચાણક્ય એ સલાહ આપી હતી. ચાણક્યએ તેને રાજા બનાવ્યો. પરંતુ સત્તાની ભૂખ ક્યારેય પણ રાખી ના હતી.
ઉકળતા દૂધમાં મલાઈ છે બ્રાહ્મણ
ત્રિવેદીએ બ્રાહ્મણની તુલના ઉકળતા દૂધમાં જામતી નરમ મલાઈ સાથે કરતા કહ્યું કે બ્રાહ્મણ એવી મલાઈ જેવા છે જે વાસણમાં ઉકાળ્યા પછી ચોંટી જાય છે. તેમને જણાવ્યું કે જે પણ બુદ્ધિમાન છે તેઓ બ્રાહ્મણ છે. મને એવું કહેવામાં કોઈ જ સંદેહ નથી કે બાબા સાહેબ બ્રાહ્મણ છે.
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી







Click it and Unblock the Notifications
