બિનસચિવાલય પરીક્ષા ગેરરીતિ મામલે સરકાર ઝૂકી, SITની રચના કરાશે, વિદ્યાર્થીઓએ ગણાવી લોલીપોપ
બિનસચિવાલયની પરીક્ષામાં ગેરરીતિ મામલે ચાલી રહેલ હોબાળો હવે વધુ ઉગ્ર બની રહ્યો છે. પરીક્ષાર્થીઓ ગઈ કાલથી આંદોલન કરી રહ્યા છે અને આંદોલન વધુ ઉગ્ર બનતા હવે સરકાર 24 કલાક બાદ ઝૂકી છે.
બિનસચિવાલયની પરીક્ષામાં ગેરરીતિ મામલે ચાલી રહેલ હોબાળો હવે વધુ ઉગ્ર બની રહ્યો છે. પરીક્ષાર્થીઓ ગઈ કાલથી આંદોલન કરી રહ્યા છે અને આંદોલન વધુ ઉગ્ર બનતા હવે સરકાર 24 કલાક બાદ ઝૂકી છે. જિલ્લા કલેક્ટરે એસઆઈટીની રચના કરવા માટે કહ્યુ છે જેને પરીક્ષાર્થીઓએ લોલીપોપ સમાન ગણાવ્યુ છે. આંદોલનકારીઓ યુવરાજસિંહ સહિત અન્ય બે પ્રતિનિધિઓ સાથે જિલ્લા કલેક્ટરની વાતચીત ચાલી રહી છે અને તમને મનાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે પરંતુ પરીક્ષાર્થીઓ બિન સચિવાલયની પરીક્ષા રદ ન થાય ત્યાં સુધી આંદોલન નહિ સમેટવા માટે મક્કમ છે. યુવરાજસિંહે જણાવ્યુ છે કે કોઈ પણ સંજોગોમાં બિન સચિવાલયની પરીક્ષાનુ પરિણામ જાહેર નહિ થાય.

બિનસચિવાલયની પરીક્ષામાં ઘણા પરીક્ષા કેન્દ્રો પર ચોરી થઈ હોવાના આક્ષેપ સાથે બુધવારે સવારથી આ આંદોલન શરૂ થયુ હતુ. રાજ્યભરમાંથી આવેલા 5 હજાર પરીક્ષાર્થીઓએ આખી રાત ઠંડીમાં રોડ પર વિતાવી હતી. આજે વહેલી સવારે પણ વિદ્યાર્થીઓ ગાંધીનગરના રસ્તાઓ પર સૂત્રોચ્ચાર કરતા જોવા મળ્યા હતા. આ દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પણ આજે સવારે બિનસચિવાલયની પરીક્ષાના ઉમેદવારો મળવા પહોંચ્યા હતા અને કહ્યુ હતુ કે હું આંદોલનકારીઓની સાછે છુ અને તેમની લડતમાં ભાગીદાર છુ. તેમણે કહ્યુ કે સરકારે આંદોલનકારીઓની વાત સાંભળવી જોઈએ. આજે હું રાજ્યપાલને ફોન કરશ અને જો બની શકે તો આ પરીક્ષા રદ કરવામાં આવે.
ઉલ્લેખનીય છે કે આંદોલનકારીઓએ પરીક્ષા રદ કરવાની માંગ કરીને કહ્યુ છે કે જ્યાં સુધી પરીક્ષા રદ નહિ થાય ત્યાં સુધી અમે અહીંથી હટીશુ નહિ પરંતુ સરકારે પરીક્ષા રદ કરવાની ના પાડી દીધી હતી. જેના કારણે આંદોલનના પડઘા અન્ય જિલ્લાઓમાં પણ પડવાની સંભાવના છે. આજે બીજા 15 હજાર જેટલા ઉમેદવારો આદંલનમાં જોડાય તેવી સંભાવના છે.
-
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
