ગાંધીનગરને ‘વાયબ્રન્ટ નગર’ બનાવવા રૂા. ર૧૮.૭૦ કરોડની જોગવાઇ

વિધાનસભા ગૃહમાં પાટનગર યોજના વિભાગની અંદાજપત્રીય માંગણીઓ પરની ચર્ચાનો જવાબ આપતાં મંત્રી આનંદીબેન પટેલે જણાવ્યું હતું કે, સાબરમતી નદીના કિનારે પાંચ શક્તિઓના થીમ આધારીત ‘પંચામૃત ભવન' અને સ્વર્ણિમ પાર્કનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ માટે રૂા. ૧૦૩ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. ગાંધીનગર કોબા એકસપ્રેસ વે માટે રૂા. ૭પ કરોડ અને ગિફટ સિટીને જોડતા સાબરમતી નદી પરના નવા પુલના નિર્માણ માટે રૂા. ૯૦.૮ર કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
આનંદીબેન પટેલે જણાવ્યું હતું કે, ગાંધીનગરમાં ઝૂંપડાવાસીઓ પુનઃસ્થાપના માટે આધુનિક સુવિધાઓ સાથે ‘વિવેકાનંદ નગર'નું નિર્માણ કરાશે. ૮૦૦ યુનિટ માટે આ અંદાજપત્રમાં રૂા. ર૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. આનંદીબેન પટેલે જણાવ્યું હતું કે, ગાંધીનગરની ગટરનું પાણી શુદ્ધ કરીને નગરના બગીચાઓ તથા સ્વર્ણિમ પાર્કને આપવાનું આયોજન છે. પર્યાવરણને સંતુલિત કરવાની આ યોજના માટે રૂા. ૧૬ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
આ ઉપરાંત મહાત્મા મંદિરમાં બીજા તબક્કામાં સોલ્ટ માઉન્ટ, ગાંધી ગાર્ડન અને પાર્કીંગ વગેરેના નિર્માણ માટે રૂા. રપ૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. ગાંધીનગર-હાંસોલ માર્ગ પર આવેલા હાંસોલ બ્રીજને છ માર્ગીય કરવા માટે રૂા. પ૧.૭પ કરોડનું આયોજન કરવામાં આવ્યું છે. ગાંધીનગરમાં રાજ્યકક્ષાની બંધારણીય કચેરીઓ માટે બહુમાળી ભવન અને ગાંધીનગરમાં જિલ્લા કક્ષાની કચેરીઓ માટે બહુમાળી ભવન બાંધવાનું કામ પણ પ્રગતિ હેઠળ છે.
ગાંધીનગરની હાલની પાણી પુરવઠાની પદ્ધતિને વધુ સંગીન બનાવવા રૂા. રર.૭૧ કરોડના ખર્ચે કામ હાથ ધરવામાં આવ્યું છે. જયારે સ્ટોર્મ વોટર ડ્રેનેજનું પ્રથમ તબક્કાનું કામ અને સચિવાલય કેમ્પસના વિકાસનું પ્રથમ તબક્કાનું કામ પણ પૂર્ણ થયું છે. રાજ્ય સરકારના નિર્માણના કામોમાં ગુણવત્તા નિયમન માટે રાજ્ય સરકારે વિશેષ પગલાં લીધાં છે. તેનો ઉલ્લેખ કરતાં આનંદીબેન પટેલે જણાવ્યું હતું કે, મુખ્ય યોજનાઓમાં તજજ્ઞો દ્વારા થર્ડ પાર્ટી ઇન્સ્પેકશન તથા ગુણવત્તા નિયમન માટે અદ્યતન સાધનોનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો છે. વિવિધ કોન્ટ્રકટમાં ૩ વર્ષ સુધીની નિભાવણીથી જોગવાઇ કરવામાં આવી છે. ગુણવત્તા નિયમન માટે નવા ૬ વિભાગો કાર્યરત કરવામાં આવ્યા છે.
પાટનગર યોજના વિભાગમાં વર્ષ ર૦૧ર૧૩માં કુલ ૧૦૯ જેટલા મદદનીશ ઇજનેર (સિવીલ)ની ભરતી કરવામાં આવી છે. નાયબ કાર્યપાલક ઇજનેર (સિવીલ) વર્ગરની પ૧ જગ્યાઓ ભરવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. કાર્યપાલક ઇજનેર (સિવીલ) વર્ગ૧ની ર૯ જગ્યાઓ ભરવા માટેનું માંગણીપત્ર જાહેર સેવા આયોગને મોકલી આપવામાં આવ્યું છે, એમ આનંદીબેન પટેલે જણાવ્યું હતું.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
