ગુજરાતમાં ખેડૂતો કરે છે સૌથી વધુ આત્મહત્યાઃ મોઢવાડિયા

આપઘાતના કારણે જિંદગી ટૂંકાવી દેવાના બનાવોમાં 71.42 ટકા પરણિત પરિવારના સભ્યો આત્મહત્યા કરે છે. પરણિત કુટુંબના પુરુષ અને સ્ત્રીની આત્મહત્યાથી સીધી અસર સમગ્ર પરિવાર પર થાય છે અને પરિવાર છિન્નભિન્ન થાય છે.
ગુજરાતમાં છેલ્લા દસ વર્ષમાં આત્મહત્યાનં પ્રમાણ ગંભીર અને ચિંતાજનક રીતે વધી ગયું છે, જેની પાછળનું કારણ આર્થિક દબાણ, સરકાર દ્વારા સામાન્ય વ્યક્તિઓ અને નાના સમૂહોના પ્રશ્નો સાંભળવાની વહીવટીતંત્રની ઉપેક્ષા હોવાનું મોઢવાડિયાએ કહ્યું છે.
મોઢવાડિયાએ આત્મહત્યા કરનારાઓની વર્ગીકૃત માહિતી આપતા જણાવ્યું હતું કે, 21થી 30 વર્ષના 13,486 યુવક-યુવતીઓએ આત્મહત્યાકરી હતી, જે ટકાવારીની દ્રષ્ટિએ 36.2 ટકા છે, 31થી 40 વર્ષના લોકોમાં ટકાવારીની દ્રષ્ટિએ આત્મહત્યાનું પ્રમાણ 23.1 ટકા છે. આત્મહત્યા કરનારાઓમાં મોટાભાગના 40 વર્ષથી નાની ઉમરના છે. રાજ્યના વિકાસમાં મહત્તમ ફાળો આપનાર એકવીસમી સદીની આ પેઢી અનેકવિધ આર્થિક-સામાજિક પ્રશ્નોથી ઘેરાયેલી છે. સરકારે આ દિશામાં નક્કર કામગીરી કરવી જરૂરી છે.
તેમણે વધુંમાં કહ્યું કે, રાજ્યમાં છેલ્લા દસ વર્ષમાં 7.062 ખેડૂતોએ આત્મહત્યા કર્યો છે. આત્મહત્યાના સૌથી વધારે બનાવો સૌરાષ્ટ્ર-કચ્છમાં બની રહ્યાં છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા દસ વર્ષમાં 16,403 લોકોએ આત્મહત્યા કરી છે. જેમાં સાત જિલ્લાઓમાં થયેલી આત્મહત્યાઓમાં મહિલા અને પુરુષનું પ્રમાણ સરખુ છે. જ્યારે ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પરુષો કરતા મહિલાનું પ્રમાણ વધારે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
