રાજકોટમાં ડૉ. મનમોહન સિંહે નોટબંધી અને GST પર કહ્યું આ...
રાજકોટમાં ભૂતપૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહએ રૂપાણી સમેત રામ મંદિર અને જીએસટી પર શું કહ્યું વિગતવાર જાણો અહીં.
ભૂતપૂર્વ વડાપ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ડૉ. મનમોહન સિંહએ આજે CM વિજય રૂપાણીના શહેર રાજકોટમાં હાજર રહી કોંગ્રેસનો પ્રચાર કર્યો હતો. કોંગ્રેસના સ્ટાર પ્રચારના રૂપમાં મનમોહન સિંહને ચૂંટણી પહેલા રાજકોટ ખાસ બોલવવામાં આવ્યા હતા. અહીં તેમણે ઇમ્પિરિયલ હોટલમાં એક પ્રેસ વાર્તા કરી હતી. જેમાં તેમણે નોટબંધી જેવા મોદીના નિર્ણય કેવી રીતે નિષ્ફળ રહ્યા તે જણાવીને ભાજપ અને મોદી સરકાર પર પ્રહાર કર્યા હતા. અહીં મનમોહન સિંહે જણાવ્યું હતું કે રાજકોટ ગુજરાતનું જ નહીં ભારતનું ગૌરવ છે. જીએસટીથી જેતપુર, સુરત, મોરબીના નાના વેપારીઓને મોટી અસર પડી છે. આ પ્રસંગે તેમણે કહ્યું કે નોટબંધી પછી 99 ટકા ચલણી નોટો પરત જમા થઇ છે. ભષ્ટ્રાચાર અને કાળુ નાણામાં તેનાથી કોઇ ઘટાડો નથી થયો. સાથે જ તેમણે કહ્યું કે ભારત જેવો દેશ, નોટબંધી જેવી ભૂલને સહન ન કરી શકે.

નોંધનીય છે કે અમદાવાદ પછી ભૂતપૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહ રાજકોટમાં પણ વેપારીઓ સાથે સંવાદ કરશે. આ પહેલા તેમણે પ્રેસવાર્તા કરીને જીએસટી અને નોટબંધી મામલે મોદી સરકારની ઝાટકણી નીકાળી હતી. આ પ્રસંગે તેમમે રૂપાણી પર પણ આકારા પ્રહાર કર્યા હતા. અને અર્થતંત્રને નબળી પાડી મોદી સરકારે ચીનને લાભ અપાવ્યો છે તેમ પણ જણાવ્યું હતું. વધુમાં રામ મંદિર મામલે સુપ્રિમ કોર્ટેના નિર્ણય માન્ય રાખવાની વાત પણ કરી હતી. સાથે નર્મદા મામલે પીએમ મોદી ક્યારેય તેમની સાથે વાત નહતી કરી તે વાત પર સિંહ ફરી આ પ્રસંગે પણ મક્કમ રહ્યા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
