રાજ્યમાં જીવન જરૂરી ચીજ વસ્તુઓનો પુરતો સ્ટોકઃ સચીવ અશ્વિની કુમાર
રાજ્યમાં જીવન જરૂરી ચીજ વસ્તુઓનો પુરતો સ્ટોકઃ સચીવ અશ્વિની કુમાર
કોરોના વાયરસના સંક્રમણ સામે દેશમાં લાગુ કરવામાં આવેલા લોકડાઉનની સ્થિતિમાં અંત્યોદય શ્રમજીવી અન્ન સુરક્ષા કાયદામાં અગ્રતા ધરાવતાં રેશનકાર્ડ ધારકોને મફત અનાજ આપવાની આજથી શરૂઆત કરવામાં આવી છે. રાજ્યની ૧૭ હજાર જેટલી સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી વિનામૂલ્યે વિતરણ માટે ઘઉં, ખાંડ અને ચોખાનો સંપૂર્ણ જરૂરિયાત મુજબનો જથ્થો પહોચાડી દેવાયો છે.

લોકોને બે ટાઇમ ભોજન મળે તે માટે સરકાર ચિંતિત
મુખ્યમંત્રી વિજય રૂપાણીના સચીવ અશ્વિનીકુમારે જણાવ્યું કે, સસ્તા અનાજના દુકાનધારકો અને અન્ન નાગરિક પુરવઠા વિભાગને સ્પષ્ટપણે તાકીદ કરી છે કે અનાજ વિતરણની આ વ્યવસ્થામાં સોશિયલ ડિસ્ટન્સીંગ જળવાય એટલું જ નહિ, લોકો ભીડભાડ ન કરે તેની ખાસ વ્યવસ્થાઓ ગોઠવાય. લોકડાઉનની સ્થિતીમાં રાજ્યમાં નિરાધાર, વૃદ્ધ, નિ:સહાય અને એકલવાયું જીવન જીવતા લોકોને બે ટાઇમ ભોજનની અગવડ ન પડે તેના માટે તંત્ર પ્રયાસ કરી રહ્યું છે.

જીવન જરૂરી ચીજો પુરતા જથ્થામાં ઉપલબ્ધ
રાજ્યમાં હાલની સ્થિતિએ રર.૩પ લાખ ફૂડપેકેટસ સ્થાનિક સત્તાતંત્રોએ સેવા સંગઠનો-સ્વૈચ્છિક સંગઠનોના સહયોગથી વિતરીત કર્યા છે. રાજ્યમાં દૂધ, શાકભાજી વગેરેના પુરવઠાની માહિતી આપતાં જણાવ્યું કે, બુધવારે રાજ્યમાં ૪૬-૧૭ લાખ લિટર દૂધનું વિતરણ થયું છે. તો, ૧.0૪ લાખ ક્વિન્ટલ શાકભાજી અને ૧૬,પ૬ર ક્વિન્ટલ ફળફળાદીની આવક થઇ છે. રાજ્યમાં શાકભાજી, ફળફળાદી કે અન્ય જીવન જરૂરી ચીજવસ્તુઓની અછત સર્જાશે અને પુરતા પ્રમાણમાં મળી રહેશે તેવી ખાતરી પણ આપી હતી.

અનાજ વિતરણમાં વાસ્તવિકતા અને જાહેરાતમાં ભિન્નતા
રાજ્યમાં આજથી મફત અનાજ આપવાની સરકાર જાહેરાત કરી રહી છે. પરતુ, જમીની સ્તર પર સડેલુ અનાજ હોવાની તેમજ ફિંગરપ્રીન્ટ કરીને અનાજ આપવામાં આવતું હોવાની બૂમ ઉભી થઇ છે. એક તરફ કોરોના વાયરસના પગલે સોશિઅલ ડિસ્ટન્સિંગ રાખવા પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે, ફિંગરપ્રિંન્ટ લઇને અનાજ આપવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત કેટલીક સસ્તા અનાજની દુકાનો પર અનાજનું વિતરણ હજું શરૂ કરવામાં ન આવ્યું હોવાની પણ રાવ આવી છે. ત્યારે, તંત્ર જાહેરાત કરવામાં અને પાલન કરવામાં ક્યાંક ભિન્ન વર્તન કરતું હોવાનું દેખાય છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
