Cyclone : વરસાદી તબાહી બાદ હવે વાવાઝોડાની તૈયારી, આ 10 જિલ્લાઓને ઘમરોળશે
Cyclone : છેલ્લા એક અઠવાડિયાથી ગુજરાતમાં તબાગીનો માહોલ છે. ભારે વરસાદ અને નદીઓમાં પૂરને કારણે જનજીવન અસ્તવ્યસ્ત છે. આ સ્થિતી વચ્ચે હવે નવી મુસીબતમાં મંડાણ થયા છે.
ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં તબાહી મચાવનારી વરસાદી સિસ્ટમ હવે વાવાઝોડાનું સ્વરૂપ લઈ રહી છે. આ મીની વાવાઝોડુ આગામી દિવસોમાં ગુજરાતના કેટલાક જિલ્લાઓને ઘમરોળી શકે છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર, હાલ સૌરાષ્ટ્ર અને કચ્છ ઉપરથી આગળ વધી રહેલુ ડીપ ડિપ્રેશન વાવાઝોડાનું રૂપ લઈ રહી રહ્યું છે. સ્થિતી એ છે કે નબળા પડવાની જગ્યાએ તે મજબુત થતા ઘણા જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ જોવા મળી રહ્યો છે.
આ વાવાઝોડા સાથે સાથે 30 ઓગસ્ટના રોજ ગુજરાતના ઘણા જિલ્લાઓમાં પવન સાથે વરસાદ જોવા મળશે. હવામાન વિભાહે 30 ઓગસ્ટે કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર અને મોરબી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જારી કર્યા છે. આ સિવાય પોરબંદર, રાજકોટ અને જૂનાગઢ જિલ્લામાં યલો એલર્ટ જારી કરાયા છે.
હવામાન વિભાગે વાવાઝોડાની સ્થિતીને જોતા આગામી ત્રણ દિવસ માછીમારોને દરિયામાં ન જવા સૂચના આપી છે. તંત્રએ લોકોને જરૂર વગર બહાર ન નીકળવા પણ અપીલ કરી છે.
જણાવી દઈએ કે, 24 ઓગસ્ટથી ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળ્યો છે. આ વરસાદને કારણે ખેતી સહિત મોટા પ્રમાણમાં નુકસાન થયુ છે.
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે!






Click it and Unblock the Notifications
