Cyclone Biparjoy Update : અતિ ગંભીર બન્યું ચક્રવાતી વાવાઝોડું બિપોરજોય, જાણો 10 અપડેટ
Cyclone Biporjoy Update : ચક્રવાત બિપોરજોય ગુજરાતના દરિયાકિનારાથી 200 કિલોમીટરથી દુર છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, ચક્રવાત બિપોરજોય ગુરૂવારની સાંજ સુધીમાં કચ્છના જખૌ બંદર સાથે ટકરાશે, આ સાથે ભારે વરસાદ અને ઝડપી પવન ફૂંકાશે.
બિપોરજોય ચક્રવાતના જોખમને કારણે 74000 થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. વહીવટીતંત્રે કચ્છ જિલ્લામાં દરિયાકાંઠાથી શૂન્યથી 10 કિમીની વચ્ચે આવેલા લગભગ 120 ગામોના લોકોને સલામત સ્થળે ખસેડ્યા છે.

ભારતના હવામાન વિભાગ (IMD) મુજબ, બિપોરજોય 150 કિમી પ્રતિ કલાકની મહત્તમ પવનની ઝડપ સાથે 'અતિ ગંભીર ચક્રવાતી તોફાન (VSCS)' તરીકે જખૌ બંદર નજીક લેન્ડફોલ કરે તેવી અપેક્ષા છે.
IMDએ જણાવ્યું હતું કે, જેમ જેમ આ શક્તિશાળી વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે પહોંચશે તેમ તેમ કચ્છ, દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની તીવ્રતા વધશે.
ચક્રવાત પર તેની અપડેટ કરેલી માહિતીમાં, IMD એ જણાવ્યું હતું કે, VSCS બિપોરજોય ઉત્તરપૂર્વીય અરબી સમુદ્ર પર 14 જૂન, 2023 ના રોજ IST સવારે 2:30 કલાકે જખૌ બંદરથી 200 કિમી પશ્ચિમ-દક્ષિણપશ્ચિમમાં છે. 15 જૂનની સાંજ સુધીમાં તે સૌરાષ્ટ્ર અને કચ્છ વચ્ચેના જખૌ બંદર નજીક અને માંડવી અને કરાચી નજીક પાકિસ્તાનના દરિયાકાંઠેથી પસાર થશે.
ગુજરાતના આરોગ્ય મંત્રી હૃષિકેશ પટેલે જણાવ્યું હતું કે, કચ્છ જિલ્લામાં 72 ગામો દરિયાકાંઠાથી શૂન્યથી પાંચ કિલોમીટરના અંતરે આવેલા છે, જ્યારે 48 ગામો દરિયાકાંઠાથી પાંચથી 10 કિલોમીટરના અંતરે આવેલા છે. અમે આ દરિયાકાંઠાના ગામડાઓમાંથી લગભગ 40,000 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડ્યા છે.
ગુજરાત સરકારે જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં 74,345 લોકોને કચ્છ, જામનગર, મોરબી, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, પોરબંદર અને ગીર સોમનાથ એમ આઠ દરિયાકાંઠાના જિલ્લાઓમાં અસ્થાયી આશ્રય શિબિરોમાં લઈ જવામાં આવ્યા છે.
સરકારના જણાવ્યા અનુસાર, NDRF (નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ) ની 15 ટીમો, SDRF (સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ) ની 12 ટીમો, રાજ્ય માર્ગ અને મકાન વિભાગની 115 ટીમો અને રાજ્ય વીજળી વિભાગની 397 ટીમો વિવિધ દરિયાકાંઠાના જિલ્લાઓમાં તૈનાત કરવામાં આવી છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસ ઉપરાંત NDRFની ચાર ટીમો અને SDRF, આર્મી, કોસ્ટ ગાર્ડ અને BSF (બોર્ડર સિક્યુરિટી ફોર્સ)ની પાંચ ટીમ ચક્રવાત બાદ રાહત અને બચાવ કામગીરી માટે તૈયાર છે. પોસ્ટ વર્ક જેવા કે પાવર સપ્લાય, મોબાઈલ નેટવર્ક અને અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર અમે પુનઃસ્થાપન માટે વિસ્તૃત વ્યવસ્થા કરી છે.
આ દરમિયાન દેવભૂમિ દ્વારકામાં આવેલા સુપ્રસિદ્ધ દ્વારકાધીશ મંદિર અને ગીર સોમનાથના સોમનાથ મંદિરને ગુરુવારના રોજ દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આઇએમડીએ જણાવ્યું હતું કે, ચક્રવાતના લેન્ડફોલ દરમિયાન, દરિયામાં ખગોળીય ભરતીથી લગભગ બે-ત્રણ મીટર ઊંચા વાવાઝોડાને કારણે અસરગ્રસ્ત જિલ્લાઓના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સંભાવના છે. વિભાગના જણાવ્યા અનુસાર, કેટલીક જગ્યાએ ત્રણથી છ મીટર ઊંચા મોજા ઉછળી શકે છે. બિપોરજોય મે 2021માં 'તૌકતે' બાદ ગુજરાતમાં ત્રાટકનારું બીજું ચક્રવાતી તોફાન છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
