Cyclone Biparjoy: વાવાઝોડુ બિપરજોય જખૌથી માત્ર 180 કિમી દૂર, દરિયામાં ઘુઘવાટા સાથે તોફાન શરુ
Cyclone Biparjoy: હવામાન વિભાગના જણાવ્યા મુજબ અરબ સાગરમાં સર્જાયેલ શક્તિશાળી વાવાઝોડુ બિપરજોય ગુજરાતની નજીક પહોંચી ગયુ છે. તે જખૌથી માત્ર 180 કિમી દૂર છે.
વાવાઝોડુ બિપરજોય હાલમાં દ્વારકાથી 210 કિમી, નલિયાથી 210 કિમી, પોરબંદરથી 290 કિમી, કરાંચીથી 270 કિમી દૂર છે. હાલમાં તે 6 કલાક પ્રતિ કિમીની ઝડપે આગળ વધી રહ્યુ છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ વાવાઝોડુ માંડવી અને કરાંચીની વચ્ચે 140 કિમીની ઝડપે પવન સાથે ટકરાશે.

વાવાઝોડુ બિપરજોય કચ્છ તરફ આગળ વધી રહ્યુ છે અને જખૌથી 180 કિમી દૂર છે. માંડવીમાં વરસાદ ચાલુ છે અને માંડવીના દરિયામાં જોરદાર કરંટ જોવા મળી રહ્યો છે. વળી, માંડવીના દરિયામાં 15થી 20 ફૂટ ઉંચા મોજા ઉછળી રહ્યા છે.
#WATCH मांडवी: अरब सागर में चक्रवात 'बिपोरजॉय' के प्रभाव के कारण गुजरात में तेज हवाएं चल रही हैं। pic.twitter.com/k5k4Tq23bg
— ANI_HindiNews (@AHindinews) June 15, 2023
દેવભૂમિ દ્વારકામાં વાવાઝોડાની અસરના પગલે ભારે પવન સાથે વરસાદ શરુ થઈ ગયો છે. અમદાવાદમાં પણ વરસાદ શરુ છે. હવામાન વિભાગે 2 દિવસ ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે.
#WATCH गुजरात: जूनागढ़ जिले में चक्रवात बिपरजॉय के प्रभाव के कारण समुद्र में ऊंची लहरें उठ रही हैं। तटों के किनारे स्थिति घरों में समुद्र का पानी घुस गया, स्थानीय लोगों और मछुआरों के अलर्ट जारी किया गया है। pic.twitter.com/NHu6ZZSVhr
— ANI_HindiNews (@AHindinews) June 15, 2023
દરિયાકાંઠાના તમામ જિલ્લામાં વહીવટી તંત્ર એલર્ટ છે. આજે દ્વારકા અને જામનગરમાં ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગે 15 અને 16 જૂનના રોજ કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકા માટે વરસાદને લઈને રેડ એલર્ટ આપ્યુ છે. પાવાગઢ મંદિર 15 તારીખથી 16 તારીખે બપોર સુધી અને સોમનાથ અને દ્વારકાધીશ મંદિર આજે બંધ રહેશે. કચ્છમાં 17 જૂન સુધી શૈક્ષણિક કાર્ય બંધ રહેશે.
#WATCH कच्छ: अरब सागर में चक्रवात 'बिपरजॉय' के प्रभाव के कारण गुजरात में तेज हवाएं चल रही हैं। पिंगलेश्वर के तटीय इलाकों में समुद्र में ऊंची-ऊंची लहरें उठ रही हैं। pic.twitter.com/nnlN1EvyPr
— ANI_HindiNews (@AHindinews) June 15, 2023
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર ખાતે સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચીને મુખ્ય સચિવ અને અધિકારીઓ સાથે વાવાઝોડાની હાલની સ્થિતિ અને તૈયારીઓ અંગે બેઠકમાં ચર્ચા કરશે. અમદાવાદમાં પણ વાવાઝોડા બિપરજોયની આગાહીને લઈને અમદાવાદ મહાનગરપાલિકાએ એક કંટ્રોલ રુમ બનાવ્યો છે. જેમાં 24 કલાક મોનિટરિંગ કરાઈ રહ્યુ છે.
વાવાઝોડા અંગેની કોઈ પણ ફરિયાદ 1055/303 પર કરી શકાશે. વળી, નાગરિકો 9978355303 નંબર પર વૉટ્સએપ મારફતે ફરિયાદ કરી શકશે. કંટ્રોલ રુમમાં 24 કલાક કર્મચારીઓ કાર્યરત રહેશે. અમદાવાદામાં 35થી 45 કિમીની ઝડપે પવન સાથે વરસાદની સંભાવના છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી







Click it and Unblock the Notifications
