cow trafficking : ગાયની તરસ્કરી પર બોલ્યા જજ, ગાય વિલુપ્ત થઇ તો, બ્રહ્માંડનું અસ્તીત્વ નહીં રહે
cow trafficking : ગાયની તસ્કરીના કેસમાં ગુજરાતના તાપી જિલ્લાની સ્થાનિક કોર્ટે ચિંતા વ્યક્ત કરી છે. પોતાના ચૂકાદામાં કોર્ટે નોંધ્યું હતું કે, જ્યાં ગાય ખુશ છે, ત્યાં સંપત્તિ અને સુખ રહે છે. ધર્મની ઉત્પત્તિ ગાયમાંથી છે.
cow trafficking : હિન્દુ ધર્મમાં ગાયનું ઘણું મહત્વ છે. ભારતની મોટાભાગની વસ્તી હિન્દુ છે, તેમ છતા દુનિયામાં સૌથી વધુ ગૌમાંસ ભારતમાંથી એક્સપોર્ટ થાય છે. દુનિયાના કુલ ગૌમાંસના 19.6 ટકા એક્સપોર્ટ ભારતમાંથી થાય છે.

આ વચ્ચે ગુજરાતના તાપી જિલ્લાની એક અદાલતના જજ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ગાય વિલુપ્ત થઇ તો સમગ્ર બ્રહ્માંડનું અસ્તીત્વ પણ નહીં બચે. જ્યા ગાય સુખી હોય છે, ત્યાં ધન, સંપતિ અને સુખ હોય છે.
ગાયની તરસ્કરી સાથે જોડાયેલા લોકોને આજીવન સજા ફટકારતા અદાલતે જણાવ્યું હતું કે, ધર્મની ઉત્પતિ ગાયથી થઇ છે. ગાય ફક્ત જાનવર જ નથી, પણ માતા છે. જ્યારે ગાયનું લોહી જમીન પર પડવાની બંધ થઇ જશે, ત્યારે ધરતી પરની તમામ સમસ્યા સમાપ્ત થઇ જશે.
જો ગાય લુપ્ત થઈ જશે, તો બ્રહ્માંડનું અસ્તિત્વ ખતમ થઈ જશે - જસ્ટિસ એસ. વી. વ્યાસ
મોહમ્મદ અમીન આરિફ અંજુમની જુલાઈ 2020માં મહારાષ્ટ્રમાંથી 16થી વધુ ગાયોની દાણચોરી બદલ ધરપકડ કરવામાં આવી હતી. ગાયની દાણચોરીના કેસની સુનાવણી દરમિયાન તાપી સ્થાનિક કોર્ટના સેશન્સ જજ એસ. વી. વ્યાસે એક સંસ્કૃત શ્લોક ટાંક્યો હતો કે, જો ગાય લુપ્ત થઈ જશે, તો બ્રહ્માંડનું અસ્તિત્વ પણ ખતમ થઈ જશે. વેદની છ શાખાઓની ઉત્પત્તિ ગાયને કારણે થઈ છે.
ન્યાયાધીશ - ગાયમાં કરોડો પવિત્ર સ્થાનો વસે છે
બે શ્લોક દ્વારા ન્યાયાધીશે જણાવ્યું કે, જ્યાં ગાયો ખુશ રહે છે, ત્યાં ધન અને સંપત્તિની પ્રાપ્તિ થાય છે. જ્યાં ગાયો દુ:ખી હોય છે, ત્યાં પૈસા અને સંપત્તિ દૂર થઈ જાય છે.
ન્યાયાધીશે જણાવ્યું હતું કે, ગાયમાં કરોડો પવિત્ર સ્થાનો વસે છે. જે દિવસે ગાયના લોહીનું એક ટીપું પૃથ્વી પર નહીં પડે, તે દિવસે પૃથ્વીની તમામ સમસ્યાઓ દૂર થઈ જશે. હાલ ઘણા લોકો ગાય સંરક્ષણ અને ગૌપાલન વિશે ઘણી વાતો કરે છે, પરંતુ આચરણમાં મૂકતા નથી. વિજ્ઞાને એ પણ સાબિત કર્યું છે કે, ગાયના છાણથી બનેલા ઘરો પરમાણુ રેડિયેશનથી પ્રભાવિત થતા નથી. ગૌમૂત્ર દ્વારા ઘણી ગંભીર બીમારીઓ દૂર કરી શકાય છે.
ઉલ્લેખનીય છે કે, મુંબઈ ભારતમાં બીફનું ટોચનું નિકાસ કરતું શહેર છે અને તેના પછી નવી દિલ્હી આવે છે. મુંબઈ શહેરમાંથી કુલ 398.2 મિલિયન USD (39.94 ટકા) નું મૂલ્ય જનરેટ થયું છે. આ બે શહેરો બીફ નિકાસકારો માટે મુખ્ય બજારો છે. કારણ કે, તેઓ બીફ ઉદ્યોગની આશરે 66 ટકા આવક પેદા કરે છે. સમગ્ર ભારતના 29 શહેરોની મદદથી તેમનો બીફ એક્સપોર્ટ બિઝનેસ ચલાવી રહ્યું છે. અલીગઢ, ગાઝિયાબાદ, આગ્રા અને મેરઠ જેવા શહેરો તેમાં મોખરે છે.
વાણિજ્ય મંત્રાલય હેઠળ આવતા કૃષિ અને પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી (APEDA) સાથેના ડેટા દર્શાવે છે કે. જ્યારે 2014માં મોદી સરકારે સત્તા સંભાળી, તે બાદ બીફની નિકાસમાં નોંધપાત્ર વધારો થયો હતો.
નાણાકીય વર્ષ 2014-15માં, બીફની નિકાસ 14,75,540 મેટ્રિક ટન હતી. જે 10 વર્ષમાં સૌથી વધુ છે, જે 2013-14માં 13,65,643 મેટ્રિક ટન\હતી. જોકે, પછીના નાણાકીય વર્ષમાં આંકડો ઘટ્યો હતો, જ્યારે નિકાસ ઘટીને 13,14,161 મેટ્રિક ટન થઈ હતી - જે લગભગ 11 ટકાનો ઘટાડો હતો.
તીવ્ર ઘટાડો ગોમાંસના સેવન પર મોબ લિંચિંગની પ્રથમ ઘટના સાથે એકરુપ હતો. સપ્ટેમ્બર 2015માં ઉત્તર પ્રદેશના દાદરી જિલ્લાના બિસારા ગામમાં મોહમ્મદ અખલાકની ગૌહત્યાની શંકામાં ટોળા દ્વારા હત્યા કરવામાં આવી હતી.
આગામી બે નાણાકીય વર્ષોમાં બીફની નિકાસમાં નજીવો વધારો જોવા મળ્યો હતો. 2016-17માં બીફની નિકાસ 13,30,013 મેટ્રિક ટન રહી હતી, જે 2015-16ની સરખામણીમાં 1.2 ટકાનો વધારો છે. આ સાથે 2017-18માં આંકડો ફરીથી નજીવો વધીને 13,48,225 મેટ્રિક ટન થયો હતો, જે 2016-17 કરતાં 1.3 ટકાનો વધારો છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
