સચિનને મોંઘો પડ્યો ગીર અભ્યારણનો પ્રવાસ, ફરિયાદ દાખલ
જૂનાગઢ, 3 એપ્રિલ: સચિન તેંડુલકરની ગુજરાતના સિંહ અભ્યારણનો પ્રવાસ વિવાદોમાં ઘેરાઇ ગયો. ચૂંટણી કમિશનમાં આ અંગે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં સચિન તેંડુલકરની સાથે અભ્યારણની મુલાકાઅ કરાવનાર વન વિભાગના અધિકારીઓ પર આદર્શ આચાર સંહિતાના ભંગને લઇને કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે.
જૂનાગઢના આરટીઆઇ કાર્યકર્તા સંઘે આજે રાજ્ય ચૂંટણી કમિશન સમક્ષ ફરિયાદ દાખલ કરીને 22 માર્ચના રોજ સચિન તેંડુલકરની સાથે ગયેલા અધિકારીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવા માટે કહેવામાં આવ્યું છે. સંઘે પોતાની ફરિયાદમાં કહ્યું હતું કે 'વન વિભાગના તે આધિકારીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવી જોઇએ જે સચિન તેંડુલકર અને તેમાના પરિવાર સાથે ગીર સિંહ અભ્યારણના પ્રવાસ દરમિયાન તેમની સાથે હતા. આમ કરીને તેમને આચાર સંહિતાનો ભંગ કર્યો છે.'

આ ફરિયાદ વન વિભાગના બે અધિકારીઓ આર એલ મીણા અને સંદીપ કુમાર વિરૂદ્ધ દાખલ કરવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે, 'તે સરકારી વાહનોનો કાફલો લઇને ત્યાં ગયા અને તેમણે અભ્યારણમાં વધુ સમય વિતાવ્યો. આ મુજબ તેમણે આદર્શ આચાર સંહિતાનો ભંગ કર્યો છે.'
જૂનાગઢ જિલ્લા કલેક્ટર અને પીઠાસીન અધિકારી આલોક કુમાર પાંડેએ કહ્યું હતું કે આ મુદ્દે ફરિયાદ મળી છે. તેંડુલકરની સાથે જનાર વન વિભાગના અધિકારીઓને ચૂંટણીમાં ડ્યૂટી આપવામાં આવી ન હતી.' સચિન તેંડુલકર, તેમની પત્ની અંજલી, પુત્રી સારા અને પુત્ર અર્જુન તથા તેમના પરિવારના કેટલાક મિત્રો 22 માર્ચના રોજ ગીર સિંહ અભ્યારણ ગયા હતા.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
