Gujarat News: CM ભૂપેન્દ્ર પટેલનો માનવતાવાદી અભિગમ, દીકરીના લગ્ન અટકી ન જાય તે માટે કાર્યક્રમનું સ્થળ બદલ્યું
Gujarat News: જામનગરના પરમાર પરિવારની દીકરી સંજનાના લગ્ન ટાઉનહોલ ખાતે નક્કી થયા હતા, પરંતુ બીજા જ દિવસે CMનો કાર્યક્રમ હોવાથી ચિંતા હતી; CM ભૂપેન્દ્ર પટેલે માનવતાના ધોરણે તાત્કાલિક પોતાનો કાર્યક્રમ બીજા સ્થળે શિફ્ટ કરાવ્યો, પરિવારજનોએ CMનો હૃદયપૂર્વક આભાર માન્યો.

ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલના માનવતાવાદી અને મૃદુ અભિગમનું ઉદાહરણ પૂરું પાડતી એક હૃદયસ્પર્શી ઘટના જામનગરમાં સામે આવી છે. CMએ જામનગરના એક પરિવારની વિનંતીને માન આપીને પોતાના પૂર્વ નિર્ધારિત સરકારી કાર્યક્રમનું સ્થળ તાત્કાલિક બદલી નાખ્યું હતું.
લગ્નની તૈયારીઓ વચ્ચે ચિંતાનું મોજું
જામનગરના પરમાર પરિવારની દીકરી સંજના પરમારના લગ્ન તા. 23-11-2025ના રોજ શહેરના ટાઉનહોલ ખાતે નક્કી થયા હતા. પરિવારમાં રૂડો અવસર હોવાથી તમામ તૈયારીઓ પૂર્ણતાના આરે હતી. ત્યાં જ સમાચાર મળ્યા કે, લગ્નના બીજા જ દિવસે એટલે કે 24-11-2025ના રોજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો જાહેર કાર્યક્રમ પણ ટાઉનહોલ ખાતે નિર્ધારિત થયો છે.
મુખ્યમંત્રીના આગમનને કારણે ટાઉનહોલની આસપાસના વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત અને સુરક્ષા વ્યવસ્થાઓ સઘન બનવાની હતી, જેના કારણે લગ્નવિધિમાં અવરોધ ઊભો થવાની શક્યતા હતી. આ પરિસ્થિતિથી પરમાર પરિવારની ચિંતા વધી ગઈ હતી.
મુખ્યમંત્રીનો તાત્કાલિક સંવેદનશીલ નિર્ણય
પરિવારે આ બાબતે મુખ્યમંત્રી કાર્યાલય સુધી પોતાની વાત પહોંચાડવાનો પ્રયાસ કર્યો. જ્યારે આ વાત CM ભૂપેન્દ્ર પટેલના ધ્યાનમાં આવી, ત્યારે તેમણે એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના તાત્કાલિક આદેશ આપ્યો.
"આપણા કાર્યક્રમનું સ્થળ બદલો. દીકરીના પરિવારની ચિંતા એ આપણી ચિંતા છે."
CMના આદેશના પગલે, જામનગર ખાતે યોજાનાર સરકારી કાર્યક્રમનું સ્થળ બદલી નાખવામાં આવ્યું.
CMએ ફોન કરીને આપી હૈયાધારણ
સંજના પરમારના કાકા બ્રિજેશ પરમારે આ ઘટનાક્રમ અંગે વાત કરતાં જણાવ્યું કે, "મુખ્યમંત્રીને અમારા લગ્ન પ્રસંગની જાણ થતાં જ તેમણે અમારી સાથે વાતચીત કરી અને હૈયાધારણ આપી હતી. તેમણે કહ્યું કે, 'તમે જરાપણ ચિંતા કરશો નહીં. તમારા લગ્ન ધામધૂમથી જ્યાં નિર્ધારિત હતા, ત્યાં ટાઉનહોલ ખાતે જ કરો. અમે અમારા કાર્યક્રમનું સ્થળ બદલાવીશું'."
CMની આ સંવેદનાથી પરમાર પરિવારની ચિંતા દૂર થઈ હતી. બ્રિજેશ પરમારે આભાર વ્યક્ત કરતાં કહ્યું કે, "લગ્નગાળાની સિઝનમાં તાત્કાલિક નવું સ્થળ શોધવું અમારા માટે અઘરું હતું. મુખ્યમંત્રી સાહેબનો એક ફોન આવ્યો અને અમે શાંતિથી એ રાત્રે સૂઈ શક્યા."
આ ઘટના દર્શાવે છે કે CM ભૂપેન્દ્ર પટેલ માત્ર મૃદુ અને મક્કમ વહીવટકર્તા જ નહીં, પણ જનતાની નાની મુશ્કેલીઓ માટે પણ સદા સંવેદનશીલ રહેનારા 'ઉત્તમ માણસ' છે.
-
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
