Gujarat News: CM ભૂપેન્દ્ર પટેલે ધરમપુરમાં 12મી ચિંતન શિબિરનો પ્રારંભ કરાવ્યો, આ મુદ્દાઓ પર થશે ચર્ચા
CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું, ચિંતન શિબિર સામૂહિક મંથન દ્વારા વિકાસની ગતિ અને સામાન્ય માનવીના ભલા માટેની દિશા પૂરી પાડે છે. 'સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ'ના ધ્યેય સાથે ઉચ્ચ અધિકારીઓનું વિચાર મંથન શરૂ, ક્ષમતા નિર્માણ, ગ્રીન ઊર્જા અને જાહેર સલામતી જેવા વિષયો પર ચર્ચા.

Gujarat News: વલસાડ જિલ્લાના ધરમપુર સ્થિત શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે આજે CM ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારની 12મી ચિંતન શિબિરનો ગૌરવભેર પ્રારંભ કરવામાં આવ્યો.
શિબિરનો પ્રારંભ કરાવતા CM ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે,
"ગમે તેવી સ્થિતિમાં દ્રઢ મનોબળ અને અડગ વિશ્વાસથી વિકાસની ગતિ અને સામાન્ય માનવીના ભલા માટેના કામોની દિશામાં આગળ વધવા માટે સામૂહિક ચિંતનનું પ્લેટફોર્મ આવી ચિંતન શિબિર પૂરું પાડે છે."
તેમણે પ્રેરણાગીત 'મનુષ્ય તું બડા મહાન હૈ'નો માર્મિક ભાવ સમજાવતા કહ્યું કે, ચિંતન શિબિર આપણામાં રહેલી અનંત શક્તિ અને ક્ષમતાને ઓળખીને પ્રજાના હિતનું કામ સતત કરતા રહેવાની પ્રેરણા આપે છે.
ધ્યેય: સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ
મુખ્યમંત્રીએ અધિકારીઓને અપીલ કરી કે, "આપણને જે જવાબદારી મળી છે તેને પૂરી નિષ્ઠાથી નિભાવીએ અને લોકોના કામના નિકાલને બદલે ઉકેલ લાવીએ તેવા સકારાત્મક વિચાર સાથે કાર્યરત રહીએ." તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, જે કામ કરીએ તેનું મૂલ્યાંકન અને તેના પરિણામોનું મંથન સમયાંતરે કરવું જરૂરી છે.
તેમણે ઉમેર્યું કે, સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસનો ધ્યેય પાર પડ્યો છે, અને હવે આ ત્રણ દિવસની શિબિરમાં વધુ તેજ ગતિ અને શ્રેષ્ઠતા તરફ સાથે મળીને આગળ વધવા પર મંથન કરવાનું છે.
ચર્ચા માટેના પાંચ ફોકસ સબ્જેક્ટ
વિકસિત ગુજરાતના ધ્યેયને વધુ દ્રઢતાપૂર્વક સાકાર કરવા માટે આ 12મી ચિંતન શિબિરમાં પાંચ મુખ્ય વિષયો ચર્ચા અને ગ્રુપ ડિસ્કશન માટે પસંદ કરવામાં આવ્યા છે.
- ક્ષમતા નિર્માણ અને મૂલ્યાંકન (Capacity Building and Evaluation)
- પોષણ અને આરોગ્ય (Nutrition and Health)
- ગ્રીન ઊર્જા અને પર્યાવરણ (Green Energy and Environment)
- જાહેર સલામતી (Public Safety)
- સેવા ક્ષેત્રમાં વૃદ્ધિ (Growth in Service Sector)
મુખ્ય સચિવ મનોજ કુમાર દાસે જણાવ્યું હતું કે, આ શિબિરનો મુખ્ય હેતુ વિકસિત ગુજરાતના લક્ષ્યને સાકાર કરવા માટે વહીવટી તંત્રની ક્ષમતા નિર્માણ કરવાનો છે, કારણ કે વિકાસની કેડી પર આગળ વધતી વખતે કામનું ભારણ, જવાબદારી અને જનતાની અપેક્ષાઓ પણ વધે છે.
-
ગુજરાતના ખેડૂતો માટે ખુશખબર: સરકાર ટેકાના ભાવે જુવાર, બાજરી અને મકાઈની કરશે ખરીદી -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત









Click it and Unblock the Notifications
