કેન્દ્રીય બજેટ 2024 પર CM ભૂપેન્દ્ર પટેલનું નિવેદન, કહીં આ વાત
Union Budget 2024: કેન્દ્રીય બજેટ 2024 ને સર્વસમાવેશક અને વિકાસલક્ષી ગણાવતા, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુરુવારના રોજ જણાવ્યું હતું કે, બજેટ લાખો નાગરિકોની આશાઓ અને આકાંક્ષાઓને પૂર્ણ કરશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એમ પણ કહ્યું હતું કે, બજેટ 2047 સુધીમાં ભારતને વિકસિત દેશ બનાવવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને દર્શાવે છે. બજેટ લાખો ભારતીય નાગરિકોની આશાઓ અને આકાંક્ષાઓને પૂર્ણ કરશે.
લોકસભામાં રજૂ કરવામાં આવેલા વિકસિત ભારત@2047ના વિઝનને હાંસલ કરવા માટે વડાપ્રધાનના સમર્પણને નવેસરથી જોર અને જોમ પ્રદાન કરશે. આ વ્યાપક બજેટ સમાજના દરેક વર્ગની વિવિધ જરૂરિયાતોને ધ્યાનમાં લે છે.

કેન્દ્રીય બજેટને આવકારતાં મુખ્યમંત્રીએ આ બજેટમાં જાહેર કરાયેલા ગ્રામીણ વિસ્તારોમાં 2 કરોડ નવા મકાનો બાંધવાના લક્ષ્યની પ્રશંસા કરી હતી. મુખ્યમંત્રીએ 1 કરોડ પરિવારોને આવરી લેવાના ઇરાદે સોલાર રૂફટોપ્સની નવીન પહેલથી ગુજરાત જેવા રાજ્યને જે નોંધપાત્ર લાભો મળશે તેના પર પણ ભાર મૂક્યો હતો.
તેમણે જણાવ્યું હતું કે, આ બજેટ જાહેર કલ્યાણલક્ષી અભિગમનું ઉદાહરણ આપે છે, જે સમાજના ચાર સ્તંભોના સર્વગ્રાહી વિકાસને પ્રોત્સાહન આપે છે, જેમાં મહિલા સશક્તિકરણ, યુવા સશક્તિકરણ, ખેડૂતો અને આર્થિક રીતે વંચિતનો સમાવેશ થાય છે.
કેન્દ્ર સરકારે ગુરુવારે સંસદમાં વચગાળાનું બજેટ 2024-2025 રજૂ કરતી વખતે ગ્રીન ગ્રોથ અને રિન્યુએબલ એનર્જીને પ્રોત્સાહન આપવા માટે ઘણાં પગલાંની જાહેરાત કરી હતી.
નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે આજે તેમના બજેટ ભાષણમાં જણાવ્યું હતું કે, રૂફટોપ સોલારાઇઝેશન દ્વારા, એક કરોડ પરિવારો દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી મેળવવા સક્ષમ બનશે. સંસદના બજેટ સત્રની શરૂઆત બુધવારના રોજ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ લોકસભા અને રાજ્યસભાની સંયુક્ત બેઠકને સંબોધતા સાથે કરી હતી.
નાણાં મંત્રાલયે સમીક્ષા અહેવાલમાં જણાવ્યું હતું કે, આ એપ્રિલથી શરૂ થતા નાણાકીય વર્ષ 2024-25માં ભારતીય અર્થવ્યવસ્થા 7 ટકાની નજીક રહેવાનો અંદાજ છે.
ભારતની અર્થવ્યવસ્થા 2022-23માં 7.2 ટકા અને 2021-22માં 8.7 ટકા વધી હતી. ભારતીય અર્થતંત્ર ચાલુ નાણાકીય વર્ષ 2023-24માં 7.3 ટકા વૃદ્ધિ પામશે તેવી અપેક્ષા છે, જે સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થા રહી છે.
ગુજરાતના મુખ્યમંત્રીએ આશા વર્કર/આંગણવાડી કાર્યકરોને આયુષ્માન ભારત યોજનામાં સામેલ કરવાની પ્રશંસા કરી, તેને તેમના માટે આનંદની ક્ષણ ગણાવી હતી.
ગુજરાતના મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્નદ્રષ્ટા નેતૃત્વ હેઠળ, ભારતે આ ક્ષેત્ર માટે નાણાકીય ફાળવણીમાં નોંધપાત્ર વધારો કરીને રૂપિયા 11.11 લાખ કરોડ સાથે વિશ્વ-સ્તરીય માળખાકીય સુવિધાઓના નિર્માણના નવા યુગની શરૂઆત કરી છે.
આ વધેલી નાણાકીય પ્રતિબદ્ધતાને નોંધપાત્ર રીતે માળખાકીય સુવિધાઓનો વિકાસને વેગ મળશે. તેમણે ગિફ્ટ સિટીમાં ઉપલબ્ધ કરવેરા લાભોની અવધિ લંબાવવાના નાણાપ્રધાને લીધેલા નિર્ણયને પણ આવકાર્યો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
