ચંદીગઢ એરપોર્ટનું નામ બદલીને શહીદ ભગતસિંહ કરાયું, પંજાબ CM માને PM મોદીનો માન્યો આભાર
ચંદીગઢ એરપોર્ટનું નામ શહીદ ભગત સિંહના નામ પર રાખવામાં આવશે. રવિવારના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'મન કી બાત'ના 93મા એપિસોડમાં દેશની જનતાની સામે આની જાહેરાત કરી હતી.
ચંદીગઢ, 25 સપ્ટેમ્બર : ચંદીગઢ એરપોર્ટનું નામ શહીદ ભગત સિંહના નામ પર રાખવામાં આવશે. રવિવારના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'મન કી બાત'ના 93મા એપિસોડમાં દેશની જનતાની સામે આની જાહેરાત કરી હતી. જેના પર હવે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને વડાપ્રધાન મોદીનો તેમના નિર્ણય માટે આભાર માન્યો છે.

શહીદ ભગત સિંહના નામ પર રાખવામાં આવશે નામ
વાસ્તવમાં રેડિયો કાર્યક્રમ 'મન કી બાત' ને સંબોધિત કરતી વખતે વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, 28 સપ્ટેમ્બરના રોજ અમૃત મહોત્સવનો ખાસ દિવસ આવી રહ્યો છે. આ દિવસે આપણે ભારત માતાના બહાદુર પુત્ર ભગતસિંહજીની જન્મજયંતિ મનાવીશું. અમે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ચંદીગઢ એરપોર્ટનું નામ હવે શહીદ ભગત સિંહના નામ પર રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેની લાંબા સમયથી રાહ જોવાઇ રહી હતી.

ઉડ્ડયન મંત્રી દુષ્યંત ચૌટાલા સાથે વાત કરી
વડાપ્રધાન મોદીની આ જાહેરાત બાદ હવે અમદાવાદથી પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની પ્રતિક્રિયા સામે આવી છે.
વડાપ્રધાન મોદીનો આભાર માનતા તેમણે કહ્યું કે, તેમણે હરિયાણાના ઉડ્ડયન મંત્રી દુષ્યંત ચૌટાલા સાથે વાત કરી હતી, ત્યારબાદ સમજૂતી થઈ હતી. મેં શહીદ ભગત સિંહના જન્મદિવસ પહેલા 28 સપ્ટેમ્બરના રોજ ઉડ્ડયન મંત્રાલયને પત્ર લખીને મોહાલી-ચંદીગઢ એરપોર્ટનું નામ શહીદ ભગતસિંહના નામ પર રાખવાનું કહ્યું હતું. મને ખુશી છે કે, વડાપ્રધાને આ વાતની જાહેરાત કરી. હું તેમનો આભાર માનું છું.

હંગામી કાર્યકરો અને યુવાનો સાથે વાતચીત કરશે
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી માટે ભગવંત માન સાથે AAP કન્વીનર અરવિંદ કેજરીવાલ અમદાવાદનીમુલાકાતે છે, જ્યાં બંને નેતાઓ સફાઈ કામદારો, હંગામી કાર્યકરો અને યુવાનો સાથે વાતચીત કરશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
