અંધજન મંડળમાં કેન્દ્રીય સામાજિક ન્યાય મંત્રી બ્રેઇલ પ્રેસનું ઉદ્ઘાટન કરશે
સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રી આદરણીય શ્રી થાવરચંદ ગેહલોત અમદાવાદ રાષ્ટ્રીય અંધજન મંડળના કેમ્પસમાં નવા સ્થાપિત કરાયેલા કમ્પ્યુટરાઇઝ બ્રેઇલ પ્રેસનું ઉદ્ઘાટન કરશે...
સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રી આદરણીય શ્રી થાવરચંદ ગેહલોત 30.12.2016 ના રોજ અમદાવાદ (ગુજરાત)ના વસ્ત્રાપુરમાં રાષ્ટ્રીય અંધજન મંડળના કેમ્પસમાં નવા સ્થાપિત કરાયેલા કમ્પ્યુટરાઇઝ બ્રેઇલ પ્રેસનું ઉદ્ઘાટન કરશે.

બ્રેઇલ પ્રેસ ભારત સરકારના સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયના વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓ (દિવ્યાંગજન)ના સશક્તિકરણના વિભાગની મદદથી સ્થાપિત કરવામાં આવ્યો છે. આ સંબંધમાં વિભાગે "બ્રેઇલ પ્રેસની સ્થાપના, આધુનિકરણ, ક્ષમતા સંવર્ધન માટે ટેકો આપવા કેન્દ્રીય ક્ષેત્રની યોજના" હેઠળ રૂ. 37,61,000/-ની સહાય મંજૂરી કરી છે. એનએબી પ્રિન્ટ બ્રેઇલ પુસ્તકો પ્રિન્ટ કરશે અને અંધજન બાળકોમાં વિતરિત કરશે. કાર્યક્રમ દરમિયાન એનએબી દ્રષ્ટિદોષના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કાર્યકર્તાઓને 6 એવોર્ડ પણ એનાયત કરશે.
ઉદ્ઘાટન સમારંભનું આયોજન 30.12.2016ના રોજ બપોરે 4.00 વાગે અમદાવાદમાં રાષ્ટ્રીય અંધજન મંડળ કરશે. રાષ્ટ્રીય અંધજન મંડળ એ અંધજન મંડળ, અમદાવાદનું યુનિટ છે. આ વિભાગ વિકલાંગતા ધરાવતા તમામ પ્રકારના લોકોને સમાન તકો પ્રદાન કરવામાં માને છે અને ઉપયોગી રોજગાર વ્યક્તિના જીવનમાં આવશ્યક ભાગ હોવાનું સમજે છે, કારણ કે તે વ્યક્તિને દરજ્જો આપે છે અને સમાજ સાથે જોડે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
