ભારત બંધઃ ગુજરાતમાં કલમ 144, ખેડૂતોના સમર્થનમાં આવ્યા ટેક્સટાઈલ લેબર અને ટ્રાન્સપોર્ટ સંગઠન
કેન્દ્ર સરકારના 3 નવા કૃષિ કાયદાના વિરોધમાં 13 દિવસથી પ્રદર્શન કરી રહેલ ખેડૂત સંગઠનોનુ આજે ભારત બંધ છે. આ બંધની અસર ગુજરાતમાં પણ દેખાઈ રહી છે.
સુરતઃ કેન્દ્ર સરકારના 3 નવા કૃષિ કાયદાના વિરોધમાં 13 દિવસથી પ્રદર્શન કરી રહેલ ખેડૂત સંગઠનોનુ આજે ભારત બંધ છે. આ બંધની અસર ગુજરાતમાં પણ દેખાઈ રહી છે. દક્ષિણ ગુજરાતના હજારો ખેડૂતોએ આ બંધનુ સમર્થન કરવાનુ એલાન કર્યુ છે. ખેડૂત સંગઠનોના સમર્થનમાં ટેક્સટાઈલ લેબર તેમજ ટ્રાન્સપોર્ટના 3 સંગઠનોએ પણ હામી ભરી. જો કે ટેક્સટાઈલ તેમજ ડાયમંડ ઈન્ડસ્ટ્રીના ગણા વેપારીઓએ આ બંધમાં શામેલ થવાનો ઈનકાર કર્યો છે. આના કારણે ગુજરાત સરકાર તેમજ પોલિસ દ્વારા કડકાઈ બતાવવામાં આવી રહી છે. રાજ્યમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જો કે સ્પષ્ટ કહી દીધુ હતુ કે ગુજરાત આ રીતના બંધને સમર્થન નથી કરતુ.

રાજ્યમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી
સીએમ રૂપાણીએ મીડિયા સામે કહ્યુ કે, 'ખેડૂત સંગઠનો દ્વારા કરવામાં આવેલ ભારત બંધના આહ્વવાનનુ ગુજરાત સમર્થન નથી કરી રહ્યુ. જો કોઈ બળજબરીથી દુકાનો અને અન્ય સંસ્થાઓઓને બંધ કરવાની કોશિશ કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.' આને જોતા પોલિસ તૈયારીઓ કરી છે અને રાજ્યમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. જે હેઠળ ચારથી વધુ લોકોના એકઠા થવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. અહીં ઘણા સ્થળોએ સવારે 7 વાગ્યાથી પોલિસનો ચુસ્ત બંદોબસ્ત જોઈ શકાય છે. સાથે જ બળજબરી કરનારા પર કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી છે. ભારત બંધના આહ્વાનને સીએમ વિજય રૂપાણીએ કોંગ્રેસનુ એક ષડયંત્ર ગણાવ્યુ છે. તેમણે કહ્યુ કે રાજ્યા ખેડૂતો સરકારથી ખુશ છે અને તે આ બંધમાં શામેલ નહિ થાય. કોંગ્રેસના કાર્યકર્તા જે બળજબરીથી બંધ કરાવવાનો પ્રયત્ન કરશે તો પોલિસ કાર્યવાહી કરવામાં આવશે.

શહેરના મુખ્ય પોઈન્ટ્સ પર ખાસ બંદોબસ્ત
ભારત બંધને નિષ્ફળ બનાવવાની રાજ્ય સરકાર તેમજ પોલિસ દ્વારા ઘણી રીતની તૈયારીઓ કરવામાં આવી છે. સુરતની વાત કરીએ તો ભારત બંધને જોતા પોલિસે શહેરના જરૂરી પોઈન્ટ્સ પર ખાસ બંદોબસ્ત કર્યો છે. પોલિસ વિશેષ રીતે શહેરના બસ સ્ટેન્ડ, એપીએમસી સહિત એ પોઈન્ટ પર ખાસ નજર રાખશે જ્યાં બંધ કરાવવાની સંભાવના રહેશે. અત્યાર સુધી કહેવામાં આવી રહ્યુ હતુ કે ગુજરાતમાં 5 લાખથી વધુ ખેડૂતો ભારત બંધને સમર્થન આપી શકે છે. પરંતુ સરકાર તેમજ પોલિસ જાપ્તાની તૈયારીઓના કારણે અસંભવ લાગી રહ્યુ છે.

સુરત ડાયમંડ એસોસિએશનનુ એ છે વલણ
વરાછા મિની બજારમાં ખેડૂત આંદોલન માટે એક દિવસ માટે બજાર બંધની અપીલ કરીને બોર્ડ પણ લગાવવામાં આવ્યુ છે. જો કે સુરત ડાયમંડ એસોસિએશનના અધ્યક્ષ નાનુ વેકરિયાએ કહ્યુ કે એસોસિએશન દ્વારા ખેડૂતોના આંદોલનના કારણે બજાર બંધ કરવાનો કે કામ બંધ રાખવાનુ કોઈ સૂચન આપવામાં આવ્યુ નથી. ઉદ્યોગોને આંદોલન સાથે કોઈ લેવા-દેવા નથી. આ તરફ કન્ફેડરેશન ઑફ ઓલ ઈન્ડિયા ટ્રે઼ડર્સ(કેટ)ના ગુજરાત ચેપ્ટરના અધ્યક્ષ પ્રમોદ ભગતે કહ્યુ કે છૂટક વેપારી દેશમાં ક્યાંય પણ આંદોલનમાં શામેલ નહિ થાય. ટેક્સટાઈલના સંગઠન ફોસ્ટા અધ્યક્ષ મનોજ અગ્રવાલે જણાવ્યુ કે મંગળાર, 8 ડિસેમ્બરે કપડા બજાર સામાન્ય દિવસોની જેમ ચાલુ રહેશે.

સ્વેચ્છાએ શામેલ થવાની અપીલ
માહિતી મુજબ ટેક્સટાઈલ લેબર અને ટ્રાન્સપોર્ટ યુનિયનના 3 સંગઠનોએ ભારત બંધને સમર્થન કર્યુ છે. જો કે અન્ય ટેમ્પો-ટ્રાન્સપોર્ટ કામ ચાલુ રાખવાની વાત કહી રહ્યા છે. સુરત જિલ્લા ટેક્સટાઈલ માર્કેટિંગ મજૂર યુનિયનના અધ્યક્ષ ઉમાશંકર મિશ્રા અને પ્રવકતા શાન ખાને કહ્યુ કે સુરતના કપડા ઉદ્યોગમાં શામેલ શ્રમિક યુનિયન પણ ખેડૂતોના સંઘર્ષમાં તેમની સાથે છે. અમે 3 સંગઠનોએ મળીને ખેડૂત આંદોલનને સમર્થન કરવાનો નિર્ણય કર્યો છે પરંતુ કોઈને પણ બળજબરીથી બંધ કે પ્રદર્શન કરવા માટે નથી કહ્યુ. શ્રમિકો અને ટ્રાન્સપોર્ટરોને સ્વેચ્છાએ શામેલ થવાની અપીલ કરવામાં આવી છે.
-
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ






Click it and Unblock the Notifications
