રાજકોટ જેલમાં બંધ ખેડૂત નેતાઓને મળવા અરવિંદ કેજરીવાલે મંજૂરી માંગી
ગુજરાતના રાજકારણમાં એક મોટા સમાચાર સામે આવ્યા છે. આમ આદમી પાર્ટી (AAP)ના વડા અરવિંદ કેજરીવાલે રાજકોટની સેન્ટ્રલ જેલમાં બંધ ખેડૂત નેતાઓ અને પક્ષના કાર્યકરોની મુલાકાત લેવા માટે જેલ તંત્ર સમક્ષ મંજૂરીની માંગણી કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, અરવિંદ કેજરીવાલ આવતીકાલે રાજકોટ જેલમાં જઈ શકે છે, જો તેમને સત્તાવાર મંજૂરી મળે. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ જેલમાં બંધ ખેડૂતો અને AAPના નેતાઓ સાથે મુલાકાત કરીને તેમની સાથે વાતચીત કરવાનો છે.
તાજેતરના વિરોધ પ્રદર્શનો અને આંદોલનના પગલે AAPના નેતા રાજુ કરપડા સહિત કુલ 37 જેટલા ખેડૂત નેતાઓ અને કાર્યકરો હાલમાં રાજકોટ જેલમાં કેદ છે. આમ આદમી પાર્ટીના નેતૃત્વ દ્વારા આ તમામ કાર્યકરોને મળવા માટે સત્તાવાર રીતે જેલ તંત્રનો સંપર્ક કરવામાં આવ્યો છે.
આ મુલાકાતને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. વિપક્ષી પાર્ટીના રાષ્ટ્રીય નેતા દ્વારા જેલમાં બંધ ખેડૂત નેતાઓની મુલાકાત લેવાની આ પહેલ ગુજરાતના ખેડૂત આંદોલનને નવો વેગ આપી શકે છે. હવે જોવાનું એ રહેશે કે રાજકોટ જેલ સત્તાવાળાઓ અરવિંદ કેજરીવાલને આ મુલાકાત માટે મંજૂરી આપે છે કે કેમ.












Click it and Unblock the Notifications
