પાટીદાર મહિલા નેતા જિગીશા પટેલ આમ આદમી પાર્ટીમાં જોડાયા
ગુજરાત રાજકારણમાં આમ આદમી પાર્ટી (AAP) પાટીદાર મતદારોને આકર્ષવા માટે સક્રિય બની છે. સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા ગામમાં AAP દ્વારા આયોજિત ખેડૂત મહાપંચાયત પહેલાં પાર્ટીએ પાટીદાર સમાજના અગ્રણી મહિલા નેતા જિગીશા પટેલને પોતાના પક્ષમાં સામેલ કરીને એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે.
આ જોડાણથી AAP નું પાટીદાર સમર્થન વધુ મજબૂત બન્યું છે, કારણ કે પક્ષ પાસે પહેલેથી જ ગોપાલ ઇટાલિયા જેવા પ્રભાવશાળી પાટીદાર નેતા છે. રાજકોટ-અમદાવાદ હાઈવે પર આવેલા પ્રભુ ફાર્મ ખાતે AAP ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે જિગીશા પટેલને ખેસ પહેરાવી પક્ષમાં આવકાર્યા હતા. આવતીકાલે ગોંડલમાં એક રેલી યોજીને આ જોડાણની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.

જિગીશા પટેલ સૌરાષ્ટ્રના પાટીદાર સમાજના અગ્રણી નેતા છે અને કુર્મી સેનાના મહિલા અધ્યક્ષ તરીકે પણ સેવા આપે છે. અગાઉ તેમણે ગોંડલમાં અલ્પેશ કથીરિયા સાથે મળીને ગણેશ ગોંડલ સામે શક્તિ પ્રદર્શન કર્યું હતું, જે તેમની રાજકીય પકડ દર્શાવે છે.
ખેડૂતોના મુદ્દે ગુજરાતમાં યોજાનાર મહાસંમેલન માટે અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગુજરાત પહોંચ્યા છે. હિરાસર એરપોર્ટ પર AAP ના ધારાસભ્યો ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવા સહિત મોટી સંખ્યામાં કાર્યકરોએ તેમનું સ્વાગત કર્યું હતું.
રાજકોટ એરપોર્ટ પર કેજરીવાલ અને માને જણાવ્યું હતું કે, ૩૭ વર્ષ પહેલાં કોંગ્રેસે ખેડૂતો પર અત્યાચાર કરીને જે ભૂલ કરી હતી, તે જ ભૂલ ભાજપે અત્યારે કરી છે. તેમણે ઉમેર્યું કે આમ આદમી પાર્ટી ખેડૂતોનો અવાજ બનવા જઈ રહી છે. કેજરીવાલે ખેડૂતો પર ટિયરગેસ અને લાઠીચાર્જની ઘટનાને દુઃખદ ગણાવી.
પંજાબમાં પૂર પીડિતોને હજુ સુધી સહાય ન મળી હોવાનો મુદ્દો પણ તેમણે ઉઠાવ્યો. AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું કે કડદા મામલે આંદોલન કરનારા નેતાઓ સામે ખોટી FIR કરીને તેમને જેલમાં ધકેલી દેવાયા છે. આવતીકાલનું મહાસંમેલન આ નેતાઓના સમર્થનમાં યોજાશે અને તેમણે ખેડૂતોને અન્યાય સામે અવાજ ઉઠાવવા AAP ને સાથ આપવા વિનંતી કરી.
રાજ્ય સરકારના નવા મંત્રીઓની ખેતરોની મુલાકાત પર કટાક્ષ કરતા ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે, ખેતરોમાં એવી રીતે ન જાવ કે ખેડૂતનું અપમાન થાય. તમને વાસ આવે તો તકલીફ, પગ બગડે તો તકલીફ. ખેડૂતોનું અપમાન ન કરો. આ નવા મંત્રીઓ નવ દિવસ સુધી ફરશે. જણાવી દઈએ કે,, કિસાન મહાપંચાયતમાં અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન કડદા પ્રથા અને ખેડૂતો પરના અત્યાચારના વિરોધમાં ભાગ લેશે.
-
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે











Click it and Unblock the Notifications
