મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં મોટો ખુલાસો, બદલાઈ જ નહોંતી આ ખરાબ વસ્તુ!
મોરબીના ઝૂલતા પુલ દુર્ઘટનામાં 140થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને 100થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. હવે આ ઘટનામાં મોટા ખુલાસા થયા છે.
મોરબી : મોરબીના ઝૂલતા પુલ દુર્ઘટનામાં 140થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને 100થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. હવે આ ઘટનામાં મોટા ખુલાસા થયા છે.
ગુજરાતના સરકારી વકીલ હરસેન્દુ પંચાલે જે ખુલાસા કર્યા છે તે વિચારવા મજબુર કરે તેવા છે. તેમણે ખુલાસો કરતા જણાવ્યુ કે, ઝૂલતા પુલના ખરાબ થયેલો કેબલ બદલાયો જ નહોતો. તેને માત્ર કલર કરી દેવાયો હતો.

એફએસએલ રિપોર્ટના હવાલાથી તેમણે જણાવ્યુ કે, કોન્ટ્રાક્ટરે કેબલ બદલ્યો જ નહોતો, ખરાબ કેબલને માત્ર કલર કર્યો હતો. કોન્ટ્રાક્ટરે માત્ર ફ્લોરિંગ બદલી હતી. સરકારી વકીલે બંધ કવરમાં ફોરેંસિક રિપોર્ટ કોર્ટને સોંપ્યો હતો.
એફએસએલ તપાસની વિગતો વિશે વાત કરતા તેમણે કહ્યું કે, એફએસએલ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે કેબલ બદલાયા ન હતા. આ કોન્ટ્રાક્ટ ઓરેવા કંપનીને નહીં પરંતુ કંપનીના મેનેજરને આપવામાં આવ્યો હતો. તેમણે અયોગ્ય મજૂરોને સમારકામ અને નવીનીકરણનું કામ સોંપ્યું. ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલ અંગે કોઈ ચર્ચા થઈ ન હતી અને તપાસ ચાલી રહી હતી. એફએસએલ રિપોર્ટ સીલબંધ કવરમાં કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.
મોરબી કલેકટર જી.ટી.પંડ્યાએ જણાવ્યું કે હજુ બચાવ કામગીરી ચાલુ છે. પંજાબનો એક વ્યક્તિ ગુમ છે. તેના પરિવારને આ ઘટના અંગે જાણ કરવામાં આવી છે. જ્યાં સુધી લાશ નહીં મળે ત્યાં સુધી સર્ચ ઓપરેશન ચાલુ રહેશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
