ગુજરાતમાં સ્વાઇન ફ્લુનો હાહાકાર- તસ્વીરોમાં
ગુજરાતમાં સ્વાઇન ફ્લુનો મૃત્યઆંક 283 પહોંચી ગયો છે. વધુમાં સોમવારે સ્વાઇન ફ્લુના વધુ 152 કેસ નોઁધાયા છે. એક બાજુ જ્યાં સરકારી તંત્ર યુદ્ઘના ધોરણે બચાવ કામગીરી કરી રહ્યું છે ત્યાં બીજી તરફ વિપક્ષનો દાવો છે કે સરકારી તંત્ર આ બિમારીને નાથવામાં અક્ષમ રહ્યું છે.
સ્વાઇન ફ્લૂ, હવે રાજકીય રંગ લઇ રહ્યું છે. સરકાર અને વિપક્ષ આ અંગે આમને સામને આવી ગઇ છે. વિધાનસભામાં જ્યારે આ મુદ્દાની ચર્ચા થઇ ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલે સરકાર પર આક્ષેપ કરતા કહ્યું કે 'ગૃહના સ્પીકરથી લઇને સોનમ કપૂર સુધી સૌ કોઈને સ્વાઇન ફ્લૂ થયો છે અને સ્વાઇન ફ્લુના મૃત્યઆંક મામલે ગુજરાત સમ્રગ દેશમાં નંબર 1 સ્થાને આવી ગયું છે. જે બતાવે છે કે સરકાર આ મામલે તદ્દન નિષ્ફળ નીવડી છે'.
તો બીજી તરફ આગામી 12મી માર્ચથી ગુજરાતમાં ઘો.10 અને ધો.12ની બોર્ડની પરિક્ષા શરૂ થઇ રહી છે. જે અંગે બોર્ડ અને આરોગ્ય વિભાગનાં ઉચ્ચ અધિકારીઓની મિટીંગ મળી હતી. જેમાં પરિક્ષા કેન્દ્રની બહાર માસ્ક, આયુર્વેદિક-હોમિયોપેથિક દવાઓનુ વિતરણ તેમજ સેનિટાઇઝરની વ્યવસ્થા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વધુમાં, હોળી પર ટોળામાં ભેગા ન થવાની અપીલ પણ સરકારે જાહેર જનતાને કરી છે.
નોંધનીય છે કે અમદાવાદમાં સ્વાઇનફ્લુના ડરે કોર્ટોમાં પ્રેક્ટિસ કરતા 10 હજાર વકીલ વેકેશન પર ઉતરી ગયા. અને ગુજરાત ભરમાં આ બિમારીના ડરે હાહાકાર મચાવી દીધો છે.
ત્યારે બીજી તરફ સ્વાઇન ફ્લુથી બચાવા લોકો હવે ભગવાનની શરણે ગયા છે અમદાવાદના આનંદેશ્વર મહાદેવના મંદિરમાં સ્વાઇન ફ્લુથી બચવા વિશેષ યજ્ઞ કરવામાં આવ્યો હતો.

સ્વાઇન ફ્લુ
ગુજરાતમાં સ્વાઇન ફ્લુનો મૃત્યઆંક 283 પહોંચી ગયો છે

સ્વાઇન ફ્લુ
12મી માર્ચથી ગુજરાતમાં ઘો.10 અને ધો.12ની બોર્ડની પરિક્ષા શરૂ થઇ રહી છે.

સ્વાઇન ફ્લુ
પરિક્ષા કેન્દ્રની બહાર માસ્ક, આયુર્વેદિક-હોમિયોપેથિક દવાઓનુ વિતરણ તેમજ સેનિટાઇઝરની વ્યવસ્થા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

સ્વાઇન ફ્લુ
વધુમાં, હોળી પર ટોળામાં ભેગા ન થવાની અપીલ પણ સરકારે જાહેર જનતાને કરી છે.

સ્વાઇન ફ્લુ
એક બાજુ જ્યાં સરકારી તંત્ર યુદ્ઘના ધોરણે બચાવ કામગીરી કરી રહ્યું છે ત્યાં બીજી તરફ વિપક્ષનો દાવો છે કે સરકારી તંત્ર આ બિમારીને નાથવામાં અક્ષમ રહ્યું છે.

સ્વાઇન ફ્લુ
બીજી તરફ સ્વાઇન ફ્લુથી બચાવા લોકો હવે ભગવાનની શરણે ગયા છે અમદાવાદના આનંદેશ્વર મહાદેવના મંદિરમાં સ્વાઇન ફ્લુથી બચવા વિશેષ યજ્ઞ કરવામાં આવ્યો હતો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
