ગુજરાત 2002 દંગાના વધુ 26 આરોપીઓને છોડી મુકાયા, 12 લોકોની હત્યાનો આરોપ હતો
નવી દિલ્હી : ગુજરાતમાં ગોધરાકાંડ બાદ થયેલી હિંસાની સતત ચર્ચા થઈ રહી છે. આટલા વર્ષો પછી પણ ઘટનાના દાગ ભુંસાયા નથી ત્યારે હવે વધુ એક ઘટના સર્જાતા ચર્ચા શરૂ થઈ છે. વિગતો અનુસાર, ગોધરાકાંડ બાદની હિંસામાં 12 લોકોની હત્યાના આરોપમાં જેલમાં રહેલા 26 જેટલા આરોપીઓને કોર્ટે નિર્દોષ છોડ્યા છે. આ કેસમાં 26માંથી 13 લોકો જેલમાં જ મોતને ભેટ્યા છે. આ સિવાયના આરોપઓ હવે પુરાવાના અભાવે જેલમાંથી બહાર આવશે.

આ ઘટના પંચમહાલ જિલ્લાની છે. પંચમહાલના હાલોલની કોર્ટમાં એડિશનલ સેશન્સ જજ લીલાભાઈ ચુડાસમાની કોર્ટે પુરાવાના અભાવે હત્યા, ગેંગરેપ અને રમખાણોના આરોપમાંથી 26 લોકોને નિર્દોષ જાહેર કર્યા છે.
કોર્ટે પોતાના આદેશમાં જણાવ્યું કે, આ કેસના કુલ 39 આરોપીઓમાંથી 13ના ટ્રાયલ દરમિયાન મૃત્યુ થયા છે. આરોપીઓ કથિત રીતે 27 ફેબ્રુઆરીએ ગોધરા ખાતે સાબરમતી ટ્રેનને આગ ચાંપનાર ટોળાનો ભાગ હતા. આ ઘટના બાદ બંધના એલાન દરમિયાન 1 માર્ચ, 2002ના રોજ કોમી રમખાણોમાં ઉપદ્રવ કર્યો હતો. 2 માર્ચના રોજ કલોલ પોલીસ સ્ટેશનમાં આ આરોપી વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી હતી.
અહીં તમને જણાવી દઈએ કે, ફરિયાદી પક્ષે 190 સાક્ષીઓ અને 334 દસ્તાવેજો રજૂ કરાયા હતા. કોર્ટે કહ્યું કે આ પુરાવા ઓછા પડી રહ્યા છે. આ સાથે કોર્ટે એમ પણ કહ્યું કે, સાક્ષીઓના નિવેદનમાં વિરોધાભાસ છે. 20 વર્ષ જૂના કેસમાં પુરાવાના અભાવે આ લોકોને નિર્દોષ જાહેર કરવામાં આવી રહ્યા છે.
ઘટના પર નજર કરીએ તો, 1 માર્ચ 2002ના રોજ કલોલમાં બે સમુદાયના 2 હજારથી વધુ લોકોએ હિંસા કરી હતી. આ ટોળાએ હથિયારો સાથે દુકાનોમાં તોડફોડ કરી આગ લગાવી હતી. આ દરમિયાન એક ઘટનામાં 38 લોકો પર હુમલો કરી 11 લોકોને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા. આ તમામ લોકો ડેલોલ ગામથી કલોલ તરફ આવી રહ્યા હતા. અન્ય એક મહિલાએ ભાગવાનો પ્રયાસ કરતા તેના પર સામૂહિક બળાત્કાર કરાયો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
