ગુજરાતઃ 2002ના અક્ષરધામ મંદિર હુમલાના આરોપીની અમદાવાદમાં ધરપકડ
ગુજરાતના અક્ષરધામ મંદરિમાં 2002માં થયેલા આતંકી હુમલાના એક આરોપી મોહમ્મદ ફારુખ શેખની સોમવારે ધરપકડ કરવામાં આવી છે.
ગુજરાતના અક્ષરધામ મંદરિમાં 2002માં થયેલા આતંકી હુમલાના એક આરોપી મોહમ્મદ ફારુખ શેખની સોમવારે ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચની ટીમે શેખને અમદાવાદ એરપોર્ટથી પકડ્યો છે. શેખ છેલ્લા 16 વર્ષોથી ફરાર હતો. કહેવામાં આવ્યુ છે કે હુમલા બાદ તે ફરાર થઈ ગયો હતો અને વિદેશમાં રહેતો હતો. સોમવારે તે પોતાના કોઈ સાથીને મળવા તે અમદાવાદ આવ્યો હતો. જેની સૂચના ક્રાઈમ બ્રાંચને મળી. સૂચના પર ક્રાઈમ બ્રાંચે શેખની અમદાવાદ એરપોર્ટ પરથી ધરપકડ કરી લીધી.

ગુજરાતના ગાંધીનગર સ્થિત અક્ષરધામ મંદિરમાં સપ્ટેમ્બર 2002માં આતંકી હુમલો થયો હતો. હુમલામાં 32 લોકોએ જીવ ગુમાવ્યા હતા. ઘણા લોકો ઘાયલ થયા હતા. 24 સપ્ટેમ્બર 2002ના રોજ બંદૂકધારીઓએ મંદિરમાં અંધાધૂંધ ફાયરિંગ કરીને 32 શ્રદ્ધાળુઓ અને ત્રણ સુરક્ષાકર્મીઓના જીવ લઈ લીધા હતા. રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડના કમાન્ડોએ આ હુમલાખોરોને મારી દીધા હતા.
આ મામલો અદાલતમાં આવ્યો જેમાં હુમલાના ષડયંત્રમાં ત્રણને મોતની સજા અને એકને આજીવન જેલની સજા સંભળાવવામાં આવી હતી. ગુજરાત હાઈકોર્ટે નીચલી અદાલતના આ ચૂકાદા પર મહોર લગાવી હતી. મે, 2014માં સુપ્રીમ કોર્ટે બધા દોષિતોને આરોપ મુક્ત કરીને છોડી દીધા. જેમાં ત્રણને મૃત્યુદંડ આપવામાં આવ્યો હતો.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
