આનંદીબેન કરી પહિંદ વિધિ, શરૂ થઇ જગતના નાથની નગરયાત્રા
હરીભક્તો જે દિવસની આતુરતાથી રાહ જોતા હોય છે તેવા જગતના નાથ ભગવાન જગનન્નાથની નગરયાત્રાની શરૂઆત થઇ ચૂકી છે. આજે સવારે મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા પહિંદની વિધિ કરવામાં આવી હતી. જે બાદ ભગવાન જગન્નાથ સાથે બહેન સુભદ્રા અને ભાઇ બાલભદ્રજીને રથમાં બેસાડીને તેમની આ નગરયાત્રા શરૂ કરવામાં આવી હતી.

નોંધનીય છે કે આ નગરયાત્રામાં મોટી સંખ્યામાં હરી ભક્તો જોડાયા હતા. તથા સવારે મંગળા આરતી ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રમુખ અમિત શાહના હસ્તે કરવામાં આવી હતી. આ વખતની રથયાત્રામાં 101 ટ્રક, 30 અખાડા સમતે ભારતભરમાંથી આવેલા 2000 વધુ સંતો અને હરિભક્તો જોડાયા હતા.
નોંધનીય છે કે 1200 ખલાસીઓ દ્વારા ખેંચવામાં આવી રહેલો ભગવાન જગન્નાથનો આ રથ આખો દિવસ નગરયાત્રા કરીને રાત્રે મંદિર પરત ફરશે. ત્યારે આ સમગ્ર યાત્રા શાંતિપૂર્ણ રીતે થાય તે માટે પોલિસ દ્વારા ચાંપતો બંદોવસ્ત કરવામાં આવ્યો છે. અને મોટી સંખ્યામાં હરિ ભક્તો પણ ધીરે ધીરે આ નગર યાત્રામાં જોડાઇ રહ્યા છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી







Click it and Unblock the Notifications
