ભાવનગર ઝુંપડપટ્ટી દૂર કરવા સામે વિરોધ પ્રદર્શનમાં જોડાનાર ૧ વ્યકિતનુ મોત
ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ઘોઘારોડ પર ચૌદનાળા વિસ્તારમાં ત્રણ-ચારેક દશકાથી વસવાટ કરતા ૩૦૦ જેટલા પરિવારોને તેના ગેરકાયદેસરના બાંધકામો તોડી પાડવા નોટીસ મળતા ઝુંપડપટ્ટીમાં વસવાટ કરતા અને અસરગ્રસ્ત બનનાર ૩૦૦ જેટલા પરિવારના હજારથી વધુ લોકો મહાપાલિકા કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરી મેયર ત્થા કમિશ્નરને રજૂઆત કરવા પહોંચ્યા હતા તે સમયે એક મહિલા ત્થા એક પુરૂષની તબીયત લથડતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયેલ દરમ્યાન એક પુરૂષનુ સારવાર દરમ્યાન મૃત્યુ નિપજયુ હતું.

ભાવનગર શહેરના ચૌદનાળા વિસ્તારમાં મહાપાલિકાની માલિકીની જમીન પર આવેલ મફતનગર માં છેલ્લા ત્રણથી ચાર દાયકા કરતા વધુ સમયથી આશરે ૩૦૦ પરિવારો વસવાટ કરી રહયા છે. દરમ્યાન મહાપાલિકાની દબાણ હટાવ કામગીરીના ભાગરૂપે રહેવાશીઓને દબાણ દૂર કરી જમીન ખુલ્લી કરી આપવા નોટીસ ફટકારવામાં આવેલ જે સંદર્ભે ત્રણ-ચાર દશકાથી વસવાટ કરતા લોકોનુ એક ટોળું નગરપાલિકાની કચેરી ખાતે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવા આવેલ રજૂઆત દરમ્યાન મેયરને લોકોએ રજૂઆતનો પ્રયાસ પણ કરેલ મેયરની કારને ઘેરી લઈ ઝુંપડપટ્ટી બચાવ સમિતિના અસરગ્રસ્તો દ્વારા બેનરો દર્શાવી સુત્રોચ્ચાર કરાયો હતો તે દરમ્યાન અસરગ્રસ્ત બનનાર પરિવારના બે વ્યકિતઓની તબીયત લથડતા ૧૦૮ મારફત સારવાર અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા.
સરકારી હોસ્પિટલે ખસેડાયેલ એક મહિલા ત્યા એક પુરૂષ પૈકી યુસુફભાઈ આમદભાઈ ડેરૈયા ઉં.વ.70નુ સારવાર દરમ્યાન મૃત્યુ નિપજતા ઝુંપડપટ્ટી હટાવવાનો વિરોધ ઉઠાવનાર અસરગ્રસ્તો તેમજ મૃતકના પરિવારજનો દ્વારા મ્યુનિ.કમિનર તેમજ સત્તાધીશોની કાર્ય પધ્ધતિ સામે આક્રોશ વ્યકત કર્યો છે.
મહાપાલિકાના સૂત્રોમાંથી મળતી વિગતો અનુસાર અસરગ્રસ્તોને ઘણા સમય પહેલા નોટીસ બજવવામાં આવેલ પુરતો સમય અપાયા બાદ આખરી નોટીસ અપાયેલ તેમાં પણ યોગ્ય સમય અપાયેલ હતો. અસરગ્રસ્તોની રજૂઆત કમિશ્નરે સાંભળેલ ત્યાર બાદ હવે સમય આપવો શકય ન હોવાનુ જણાવેલ . આમ ગેરકાયદેસર બાંધકામો દૂર કરવા કમિશનર મક્કમ છે .અસરગ્રસ્તો સાથે વિપક્ષના કેટલાક આગેવાનો પણ જોડાયા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
