રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર બેકાબુ, રાતે 12 વાગ્યા પછી લાગુ થશે નવી ગાઈડલાઈન્સ
આજે નાઈટ કર્ફ્યુ સહિતના નિયંત્રણોની ગાઈડલાઈન્સનો સમય પૂરો થઈ રહ્યો છે. રાતે 12 વાગ્યા પછી નવી ગાઈડલાઈન્સ લાગુ કરવામાં આવશે.
અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસની ત્રીજી લહેર બેકાબુ બની ગઈ છે. કોરોના વાયરસના કેસો રોજેરોજ વધી રહ્યા છે. આજે નાઈટ કર્ફ્યુ સહિતના નિયંત્રણોની ગાઈડલાઈન્સનો સમય પૂરો થઈ રહ્યો છે. રાતે 12 વાગ્યા પછી નવી ગાઈડલાઈન્સ લાગુ કરવામાં આવશે. આજે નવી SOP જાહેર થવાની પૂરી સંભાવના છે. નવી ગાઈડલાઈન્સમાં નાઈટ કર્ફ્યુના શહેરોમાં ઉમેરો કરવામાં આવી શકે છે તેમજ નાઈટ કર્ફ્યુનો સમય 9થી સવારે 6 વાગ્યા સુધી કરવામાં આવી શકે છે.

તમને જણાવી દઈએ કે રાજ્યમાં 14 જાન્યુઆરીના રોજ કુલ 10019 કેસ નોંધવામાં આવ્યા હતા. 4831 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા અને ગઈ કાલમાં દિવસમાં કોરોનાથી 2 મોત નોંધવામાં આવ્યા હતા. ઉત્તરાયણના કારણે ટેસ્ટિંગ કરાવતા લોકોની સંખ્યા ઘટી છે જેના કારણે 14 જાન્યુઆરીના રોજ 10019 કેસ નોંધાયા હતા પરંતુ હવે કેસોમાં ઉછાળો આવી શકે છે. જો 14,300થી વધુ કેસો નોંધાશે તો બીજી લહેર પણ તૂટી જશે. રાજ્યમાં જાન્યુઆરી મહિનામાં કુલ 75181 કોરોના કેસ નોંધવામાં આવ્યા છે અને કોરોનાથી કુલ 26 મોત થયા છે.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં હાલમાં ઘણા નિયંત્રણો મૂકવામાં આવ્યા છે. મહાનગરો અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, જામનગર, જૂનાગઢ, ગાંધીનગરમાં રાતે 10થી સવારે 6 વાગ્યા સુધીનો કર્ફ્યુ છે. દુકાન-વેપાર-ધંધા રાતે 10 વાગ્યા સુધી ચાલુ છે. હોટલ અને રેસ્ટોરાં 75 ટકાની ક્ષમતા સાથે રાતે 10 વાગ્યા સુધીની અનુમતિ છે. ખુલ્લી જગ્યામાં 150 લોકોની મર્યાદામાં કાર્યક્રમો યોજવાની અને બંધ જગ્યામાં ક્ષમતાના 50 ટકા અને મહત્તમ 150ની મર્યાદામાં લોકોને ભેગા થવાની મંજૂરી છે. લગ્ન પ્રસંગોમાં પણ 150ની મર્યાદા છે જે 15 જાન્યુઆરી પછી પણ લંબાવવાની શક્યતા છે. વળી, અંતિમક્રિયામાં 100ની મંજૂરી છે. વાહનવ્યવહારમાં ક્ષમતાના 75 ટકાની મંજૂરી છે. ધોરણ 1થી 9ની શાળાઓ 31 જાન્યુઆરી સુધી માત્ર ઑનલાઈન ચાલુ છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
