અમદાવાદ સીરિયલ બ્લાસ્ટઃ 14 વર્ષ પહેલા 26 જુલાઈ, 2008ના રોજ અમદાવાદમાં શું બન્યુ હતુ?
14 વર્ષ પહેલા 26 જુલાઈ, 2008ના રોજ અમદાવાદમાં શું થયુ હતુ, જાણો.
અમદાવાદઃ અમદાવાદમાં ઈતિહાસમાં 26 જુલાઈ, 2008 શનિવારનો એ દિવસ ક્યારેય કોઈ નહિ ભૂલી શકે. સાંજે 6 વાગીને 10 મિનિટથી રાતે 8 વાગીને 5 મિનિટ સુધી શહેરમાં કુલ 22 સ્થળે વિસ્ફોટો થયા હતા. એક પછી એક ધડાકામાં કુલ 58 લોકોના કરુણ મોત નીપજ્યા હતા અને 240 લોકો ઘાયલ થયા હતા. 26 જુલાઈના રોજ અમદાવાદ શહેરમાં 21 બ્લાસ્ટ થયા હતા.

જે 21 બ્લાસ્ટ થયા હતા જેમાં ખાડિયામાં 3, બાપુનગરમાં 2, રામોલમાં 2, અમરાઈવાડીમાં 1, વટવામાં 1, દાણીલીમડામાં 1, ઈસનપુરમાં 1, ઓઢવમાં 2, કાલુપુરમાં 1, અમદાવાદ સિવિલમાં 1, નરોડામાં 2, સરખેજમાં 1, નિકોલમાં 1 અને ખાત્રજમાં 1માં બ્લાસ્ટ થયા હતા. રામોલ અને ખાત્રજમાં એએમટીએસની બસમાંથી જે બૉમ્બ મળ્યા હતા તેને ડિફ્યુઝ કરવામાં આવ્યા હતા.
ગુજરાત પોલિસ ઉપરાંત મધ્ય પ્રદેશની ઉજ્જૈન પોલિસ, દિલ્લી, મુંબઈ, કર્ણાટક,, કેરળ અને રાજસ્થાન પોલિસે આ બ્લાસ્ટમાં સંડોવાયેલા આરોપીઓની ધરપકડ કરીને ગુજરાત પોલિસને સોંપ્યા હતા. આજે સ્પેશિયલ કોર્ટે અમદાવાદ સીરિયલ બ્લાસ્ટ કેસનો ચુકાદો સંભળાવ્યો છે. અમદાવાદ બ્લાસ્ટમાં 49 આરોપી સમગ્ર ષડયંત્રમાં શામેલ હતા જે સાબિત થઈ ગયુ છે. 77માંથી કુલ 28 આરોપીઓને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. 49 આરોપીઓને દોષી જાહેર કરાયા છે. જેમને આવતીકાલે સજા સંભળાવવામાં આવશે.
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
