નોટબંધીના 50 દિવસ પૂર્ણ, જાણો સરકારને કેટલું કાળું નાણું મળ્યું?
કાળા નાણાં વિરુદ્ધ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ નોટબંધીની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. નોટબંધીના 50 દિવસ બાદ મોદી સરકારના હાથમાં શું આવ્યું? આવો જાણીએ..
કાળા નાણાં વિરુદ્ધ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ નોટબંધીની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. મોદી સરકારનો દાવો હતો કે નોટબંધીના નિર્ણય દ્વારા એ તમામ લોકો પર લગામ લગાવી શકાશે જેઓ કાળું નાણું જમા કરીને બેઠા છે. આથી જ નરેન્દ્ર મોદીએ RBI ની સલાહ લઇ રૂ. 500 અને 1000 ની નોટો પર બેન લગાવ્યો હતો, 500 અને 1000 ની જૂની નોટોની જગ્યાએ 500 અને 2000 રૂપિયાના નવી નોટો બહાર પાડવામાં આવી. જૂની નોટો બદલવા માટે સરકારે 30 ડિસેમ્બર સુધીનો સમય આપ્યો હતો. આવો જાણીએ નોટબંધીના 50 દિવસ બાદ મોદી સરકારના હાથમાં શું આવ્યું? નરેન્દ્ર મોદી કાળું નાણું પકડવામાં કેટલે અંશે સફળ થયા?

458 કરોડ રૂપિયા જપ્ત
નોટબંધીના નિર્ણય બાદ સરકાર દ્વારા અનેક જગ્યાએ છાપા મારવામાં આવ્યા, જેમાં લગભગ 458 કરોડ રૂપિયા જપ્ત થયા. સરકારી એજન્સિઓએ તેમને મળેલી સૂચના અનુસાર આ ઑપરેશન હાથ ધર્યા હતા. 22 ડિસેમ્બરથી 28 ડિસેમ્બર સુધીના ગાળામાં સરકારી એજન્સિઓએ આવા કુલ 200 ઑપરેશન કર્યા.

નવી નોટો પણ મળી આવી
સરકારી એજન્સિઓ દ્વારા જે છાપા મારવામાં આવ્યા તેમાં માત્ર 500 અને 1000ની જૂની નોટો જ નહીં, પરંતુ 500 અને 2000 ની નવી ચલણી નોટો પણ મળી આવી. જપ્ત થયેલા 458 કરોડ રૂપિયામાંથી માત્ર 1.5 કરોડ રોકડ જ જૂની ચલણી નોટોમાં મળી છે. દેશમાં બેંકોની 547 બ્રાંચ અત્યારે ઇડી અને સીબીઆઇની રડાર પર છે.

5000થી વધુ નોટિસ
આવકવેરા વિભાગે ઘણા લોકો વિરુદ્ધ નોટિસ બહાર પાડી છે, પોતાની કાર્યવાહી હેઠળ તેમણે 5000થૂ પણ વધુ નોટિસ જાહેર કરી છે. આવકવેરા વિભાગે એ તમામ લોકોને નોટિસ મોકલી છે, જેમની પર એમને શંકા છે. નોટબંધી લાગુ થયા બાદ અત્યાર સુધીમાં લગભગ 14 કરોડ રૂપિયા બેંકમાં જમા કે એક્સચેન્જ કરવામાં આવ્યા છે.

4 લાખ કરોડ રૂપિયા પર હજુ પણ સંદેહ
આવકવેરા વિભાગને શંકા છે કે બેંકોમાં લગભગ 4 લાખ કરોડ રૂપિયાનું કાળું નાણું સફેદ કરી જમા કરાવવામાં આવ્યું છે. આને આધારે જ આવકવેરા વિભાગે હવે એ લોકોને નોટિસ મોકલવાનું શરૂ કરી દીધું છે, જેઓ પોતાની આવકનો સ્ત્રોત જણાવવામાં અસફળ રહ્યાં છે. આ દરમિયાન જ ભારતીય રિઝર્વ બેંક દ્વારા 100, 50, 20 અને 10 રૂપિયાની ચલણી નોટોમાં લગભગ 1.06 કરોડ રૂપિયા બાજરમાં સર્ક્યૂલેશનમાં નાખવામાં આવ્યા છે.

100 લોકોથી વધુની મોત
નરેન્દ્ર મોદીને નોટબંધીના નિર્ણય દ્વારા કાળા નાણાં સામેની લડાઇમાં એક તરફ ફાયદો થયો છે, તો બીજી બાજુ તેમને ઘણી આલોચનાનો સામનો પણ કરવો પડ્યો છે. નોટબંધીના કારણે બેંકો અને એટીએમમાં લાંબી લાઇનો લાગેલી જોવા મળે છે અને આ કારણે 100 થી પણ વધુ લોકોની મોત થઇ હોવાનું બહાર આવ્યું છે.

અહીં વાંચો
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
