હવે 'તારક મહેતા'માં વાપસી કરશે દયાબેન, આ વ્યક્તિએ કરી પુષ્ટિ
લાંબા સમયથી ચાલી રહેલા ફેમિલી કોમેડી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના ચાહકો માટે સારા સમાચાર છે. જ્યાં એક તરફ શૈલેષ લોઢા અને મુનમુન દત્તાના શો છોડવાના સમાચાર સામે આવી રહ્યા છે.
લાંબા સમયથી ચાલી રહેલા ફેમિલી કોમેડી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના ચાહકો માટે સારા સમાચાર છે. જ્યાં એક તરફ શૈલેષ લોઢા અને મુનમુન દત્તાના શો છોડવાના સમાચાર સામે આવી રહ્યા છે, ત્યારે એક સમાચાર એવા પણ સામે આવ્યા છે કે, હવે દયાબેન શોમાં વાપસી કરી શકે છે અને આ સમાચાર પર ખુદ શોના નિર્માતાએ મહોર મારી દીધી છે.

દયાબેનની રિએન્ટ્રી
સીરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. શોમાં ટૂંક સમયમાં દયાબેનની એન્ટ્રી થવાની છે.હા, આ વાતનો ખુલાસો સીરિયલના નિર્માતા અસિત કુમાર મોદીએ પોતે કર્યો છે.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાત કરતા આસિત કુમારમોદીએ કહ્યું કે, 'અમે હજૂ સુધી દયાબેનનું પાત્ર પૂરું કર્યું નથી. અમે છેલ્લા કેટલાક સમયથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છીએ.2020-21નો સમય અમારા માટે ખૂબ જ ખરાબ હતો. હવે સમય સાથે વસ્તુઓ બદલાઈ રહી છે.

દિશા ટૂંક સમયમાં લોકોનું મનોરંજન કરશે
દયાબેનના વાપસી અંગે ખુલાસો કરતા આસિત કુમાર મોદીએ જણાવ્યું હતું કે, 'અમે આશા રાખીએ છીએ કે, દયાબેનનું વાપસી વર્ષ2022માં થશે. ફરી એકવાર દયાબેન અને જેઠાલાલ સાથે મળીને લોકોનું મનોરંજન કરશે. મને ખબર નથી કે દિશા વાકાણી સિરિયલ 'તારકમહેતા કા ઉલ્ટા ચશ્મા' માં પરત ફરશે કે નહીં, પરંતુ દિશા વાકાણી સાથે અમારો સંબંધ હજૂ પણ સારો છે.

2017 થી શોમાં નથી દેખાઇ દિશા વાકાણી
આગળ વાત કરતા આસિત કુમાર મોદીએ જણાવ્યું હતું કે, 'દિશા વાકાણી અમારા પરિવારનો એક ભાગ છે, પરંતુ હવે તે પરિણીત છે. તેનેએક બાળક છે. તે તેના બાળકની સંભાળ રાખવામાં વ્યસ્ત છે. તેની પોતાની કેટલીક જવાબદારીઓ છે. અમે હજૂ પણ દિશા વાકાણીને પરતલાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અમે જાણીએ છીએ કે, ચાહકો દયાબેનને ખૂબ જ મિસ કરી રહ્યા છે.
ઉલ્લેખીય છે કે, વર્ષ 2017માં દિશાવાકાણીએ સીરિયલમાંથી મેટરનિટી લીવ લીધી હતી. દિશાના ઘરે દીકરીનો જન્મ થયો હતો, પરંતુ તે પછી દિશા ફરી સિરિયલમાં પાછીઆવી નથી. ત્યારથી ફેન્સ દાયાભાભીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

શૈલેષ લોઢા અને મુનમુન દત્તાના શો છોડવાના સમાચાર
કોમેડી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (TMKOC)ના ચાહકોને એક બાદ એક આંચકા મળી રહ્યા છે. હાલમાં જ સમાચાર આવ્યા હતાકે, શોના સૌથી મહત્વપૂર્ણ પાત્રોમાંથી એક શૈલેષ લોઢા એટલે કે તારક મહેતાએ શો છોડી દીધો છે.
હવે આ શોની સૌથી પ્રખ્યાત મહિલાઅભિનેત્રી શો છોડવાની તૈયારી કરી રહી છે.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મુનમુન દત્તા એટલે કે બબીતાજી શોને અલવિદા કહી શકે છે. તેનુંકારણ નવા શોનો ભાગ બનવા જઈ રહી છે તેવુ માનવામાં આવી રહ્યું છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
