સોમનાથમાં શિવરાત્રિ મેળો : 15 લાખ ભાવિકો દર્શન કરશે

પાંચ દિવસ ચાલનારા શિવરાત્રિના મેળાનો પ્રારંભ થવાની સાથે જ ભકિત, ભજન અને ભોજન પણ શરૂ થતા ભારે ધાર્મિક માહોલ ઉભો થયો હતો. મિની કુંભ તરીકે ભાવિકોમાં જાણીતા ભવનાથ મહાદેવના મંદિરની આસપાસ ભરાતા મહાશિવરાત્રિના મેળામાં પહેલા જ દિવસે રેકૉર્ડ બ્રેક ભાવિકો આવ્યા હતા અને મેળાની સાથોસાથ અંદાજે પોણા ત્રણ લાખ ભાવિક ભક્તોએ ભવનાથ મહાદેવનાં દર્શનનો લાભ લીધો હતો. મેળાને લઈને ભાવિકોની સુરક્ષા અને કાયદો વ્યવસ્થાની જાળવણી માટે જૂનાગઢ ઉપરાંત પોરબંદર, અમરેલી અને ભાવનગર જીલ્લાની પોલીસને તૈનાત કરવામા આવી છે. મેળા દરમિયાનની દરેક હિલચાલ પર નજર રહે તે માટે સીસીટીવી કેમેરા દ્વારા મોનીટરીંગ પણ હાથ ધરવામાં આવ્યુ છે.
મેળો શરૂ થતાની સાથે જ તળેટી ખાતે વિવિધ જ્ઞાતિઓ, સમાજો, સંસ્થાઓ, સેવાભાવી મંડળો, ધાર્મિક જગ્યાઓ વગેરે ખાતે ભાવિકો માટે ઉતારા, ચા-પાણી અને ભોજન સહિતની વ્યવસ્થા શરૂ કરી દેવામાં આવી છે.મેળા દરમિયાન ભાવિકોને પીવાનું પાણી, આરોગ્ય વગેરે સુવિધા મળી રહે તે માટે વહીવટી, મનપા અને વનતંત્ર દ્વારા સુઘડ ગોઠવણ કરવામાં આવી છે.
ગત વર્ષે મેળા દરમ્યાન સર્જાયેલી દુઘર્ટનાને લક્ષમાં રાખી જુનાગઢમાં ભરડાવાવથી પ્રવેશ પાસ વગરના વાહનોને ભવનાથ આવવા-જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. બીજી બાજુ એસ.ટી. નિગમ અને રેલ્વે દ્વારા આજથી ભાવીકો માટે વિશેષ પરિવહન સેવા શરૂ કરવામાં આવી છે. ઉપરાંત શહેરમાં જુદા જુદા મુખ્ય વિસ્તારો ખાતેથી પીકઅપ સ્ટેન્ડ પણ એસ.ટી. દ્વારા શરૂ કર્યા છે.
પાંચ દિવસના મેળાનું મુખ્ય આકર્ષણ મહા શિવરાત્રીની રાત્રે એટલે આગામી રવિવારની રાત્રે નીકળનારૂં દિગંમ્બર સાધુઓનું સરઘસ-રવેડી છે. જેને નિહાળવા અને સંત-મહાત્માઓના દર્શન-આશીર્વાદ માટે સવારથી જ ગીરી તળેટીમાં ભાવીકો આસન જમાવી દેશે.
આ ઉપરાંત બાર જ્યોતિર્લિંગ પૈકી એક સોમનાથ ખાતે સોમનાથ મહાદેવનું મંદિર મહાશિવરાત્રિની રાત આખી ખુલ્લું રહેશે. શિવરાત્રિએ અંદાજે એક લાખથી વધુ ભાવિકો દર્શન કરતા હોય છે. ભાવિકોને તકલીફ ન પડે અને મહાદેવનાં દર્શન કર્યા વિના તેમણે પાછા ન જવું પડે એ હેતુથી મંદિર ખુલ્લું રાખવામાં આવે છે. રવિવારે રાત્રે બાર વાગ્યા સુધી ચાલનારા આ મેળામાં પંદર લાખથી વધારે લોકો આવશે એવી શક્યતા છે. મહાશિવરાત્રિના મેળા માટે ગુજરાત સરકારે બે ટ્રેન અને અલગ-અલગ શહેરોને ચૌદ બસ ફાળવી છે, જે ગયા વર્ષ કરતાં લગભગ બમણી છે.
-
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ





Click it and Unblock the Notifications
