જ્યાં સુધી અંતિમ પ્રવાસી પોતાના પરિવારને મળી ન જાય ત્યાં સુધી લડતો રહીશઃ સોનુ સૂદ
સોનુ સુદે યુપીના પ્રવાસી મજૂરોને પોતાના ઘરે મોકલવા માટે યુપી સરકાર પાસેથી વિશેષ અનુમતિ લીધી છે.
દેશમાં ફેલાયેલા કોરોના વાયરસના કારણે દેશવ્યાપી લૉકડાઉન ચાલી રહ્યુ છે. શોપિંગ મૉલ, દુકાનો, શોરૂમ, રેસ્ટોરન્ટ સહિત અન્ય કામની જગ્યાઓ બંધ પડી છે. એવામાં અહીં કામ કરતા મજૂરો બેરોજગાર થઈ ગયા છે અને હવે પોતાના ગામ તરફ પગપાળા, સાઈકલ અને રિક્ષાથી જઈ રહ્યા છે. મજૂરોની આ સ્થિતિથી સૌ કોઈ દુઃખી છે. બૉલિવુડ એક્ટર સોનુ સુદે મજૂરોની આ હાલત જોઈ નથી શકાતી. તે છેલ્લા ઘણા દિવસોથી આ મજૂરોની મદદ કરી રહ્યા છે. તેમણે હવે યુપીના પ્રવાસી મજૂરોને પોતાના ઘરે મોકલવા માટે યુપી સરકાર પાસેથી વિશેષ અનુમતિ લીધી છે.

શુ કહ્યુ સોનુ સૂદે
સોનુ સૂદનુ કહેવુ છે કે તે એ પ્રવાસી શ્રમિકોની દૂર્દશાથી પીડિત છે જે દેશવ્યાપી લૉકડાઉન વચ્ચે ઘરે પાછા જવા માટે અસમર્થ છે અને તે તેમના માટે પરિવહનની વ્યવસ્થા કરવા માટે તે બધુ કરશે જે તે કરી શકે તેમ છે. શનિવારે સોનુએ ઉત્તર પ્રદેશ સરકારને વિશેષ અનુમતિ પ્રાપ્ત કર્યા બાદ પ્રવાસીઓ માટે વધુ બસોની વ્યવસ્થા કરી. અભિનેતાએ પહેલા મહારાષ્ટ્રથી કર્ણાટક થી ગુલબર્ગ જતા આવા ઘણા કાર્યકર્તાઓ માટે ઘણી બસ સેવાઓનુ આયોજન કર્યુ હતુ.

જ્યાં સુધી અંતિમ પ્રવાસી પોતાના પરિવારને ન મળી જાય ત્યાં સુધી ઘરો મોકલવાનુ ચાલુ રાખીશ
સોનુ સૂદે મહારાષ્ટ્રથી કર્ણાટકના ગુલબર્ગ જતા કામદારો માટે બસ સેવાનુ આયોજન કર્યુ છે. તેમણે કહ્યુ કે લૉકડાઉન દરમિાયન પોતાના ઘરે પાછા નહિ જઈ શકતા પ્રવાસીઓની દૂર્દશા જોઈને દુઃખ થાય છે અને તે તેમને પાછા મોકલવા માટે કંઈ પણ કરશે. સૂદે એક નિવેદનમાં કહ્યુ, આ મારા માટે ખૂબ જ ભાવનાત્મક યાત્રા રહી છે. ઘરોમાંથી દૂર રસ્તાઓ પર ચાલતા આ પ્રવાસીઓને જોઈને મને દુઃખ થાય છે. સોનુ સૂદે આગળ કહ્યુ, જ્યાં સુધી અંતિમ પ્રવાસી પોતાના પરિવર અને પ્રિયજનને ન મળી જાય ત્યાં સુધી હું તેમને મોકલવાનુ ચાલુ રાખી. સોનુ સૂદની મદદથી અત્યાર સુધી વડાલાથી લખનઉ, હરદોઈ,પ્રતાપગઢ અને સિદ્ધાર્થનગર સહિત ઉત્તર પ્રદેશના વિવિધ ક્ષેત્રો માટે બસો રવાના થઈ છે. આ ઉપરાંત અહીંથી ઝારખંડ અને બિહારના ઘણા જિલ્લાઓ માટે એક્ટરની મદદથી ઘણી બસો જઈ ચૂકી છે.

PPE કિટ પણ દાન કરી ચૂક્યા છે સોનુ સૂદ
આ પહેલા પણ પંજાબના ડૉક્ટરો માટે 1500 પીપીઈ કિટ દાન કરી ચૂક્યા છે. તેમણે મુંબઈ સ્થિત પોતાની હોટલને આરોગ્યકર્મીઓના રહેવા માટે ઉપલબ્ધ કરાવી છે. રમઝાનના પવિત્ર મહિનામાં ભિવંડી વિસ્તારમાં હજારો વંચિતો અને પ્રવાસીઓને ફૂડ કિટ ઉપલબ્ધ કરાવી છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
