કોણ છે સુશાંત સિંહ રાજપુતના મોત માટે જવાબદાર? અભિનેતા અમિત સાધે ખોલ્યા રાઝ
દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના નિધનથી બોલિવૂડના ઘણા કલાકારો આઘાતમાં છે. સુશાંતના ખાસ મિત્ર અમિત સાધને મોટો આંચકો લાગ્યો હતો. સાધે જણાવ્યું કે કેવી રીતે અભિનેતાના મૃત્યુથી તેના દિલ અને દિમાગ પર ખરાબ છાપ પડી.
દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના નિધનથી બોલિવૂડના ઘણા કલાકારો આઘાતમાં છે. સુશાંતના ખાસ મિત્ર અમિત સાધને મોટો આંચકો લાગ્યો હતો. સાધે જણાવ્યું કે કેવી રીતે અભિનેતાના મૃત્યુથી તેના દિલ અને દિમાગ પર ખરાબ છાપ પડી. અભિનેતાએ ખુલાસો કર્યો કે સુશાંતના મૃત્યુને કારણે તે ઇન્ડસ્ટ્રી છોડવા માંગતો હતો.

અમિત સાધનો મોટો ખુલાસો
સુશાંત સિંહ રાજપૂતનું 14 જૂન 2020 ના રોજ અવસાન થયું હતુ. અભિનેતાના મૃત્યુના અઢી વર્ષ બાદ તેના ખાસ મિત્ર અમિત સાધે મોટો ખુલાસો કર્યો છે. તેણે એક ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે સુશાંતના મૃત્યુથી તે એટલો આઘાતમાં હતો કે તેણે ફિલ્મ ઈન્ડસ્ટ્રી છોડવાનો નિર્ણય પણ લઈ લીધો. એટલું જ નહીં તેણે લગભગ 4 વખત આત્મહત્યાનો પ્રયાસ પણ કર્યો હતો.

સુશાંત સિંહ રાજપુતના મોત માટે કોણ છે જવાબદાર?
અમિત સાધે ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું કે હું સુશાંતની માનસિકતા જાણતો હતો. જો કોઈ વ્યક્તિ આત્મહત્યા દ્વારા મૃત્યુ પામે છે, તો તેનો અર્થ એ છે કે તેણે તેના જીવનના કેટલાક પાસાઓ છુપાવ્યા છે, જ્યારે આવું થાય છે ત્યારે તે વ્યક્તિની ભૂલ નથી. તે સમાજની ભુલ છે. તેની આસપાસના તમામ લોકો તેની ગંભીરતાને ઓળખી શક્યા નહીં. સુશાંત તેના જીવનમાં એટલો નિરાશ હતો કે તેણે આત્મહત્યા કરી લીધી.

અમિત સાધે 4 વખત કર્યો આત્મહત્યાનો પ્રયાસ
અમિત સાધે વધુમાં જણાવ્યું કે, જ્યારે આ બધું થયું ત્યારે તેના મનમાં આત્મહત્યાનો વિચાર પણ આવ્યો. અભિનેતાએ કહ્યું, 'મેં લગભગ 4 વખત આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો. હું ખૂબ જ પરેશાન હતો અને તે સમયે મારી ઉંમર 17 થી 18 વર્ષની વચ્ચે હતી. જોકે હવે હું સંપૂર્ણપણે ઠીક છું'.

ઇન્ડસ્ટ્રીથી થઇ હતી ચીઢ
આ પછી, જ્યારે તેને પૂછવામાં આવ્યું કે, તે કયા કારણોસર બોલિવૂડ ઇન્ડસ્ટ્રી છોડવા માંગે છે? તેના જવાબમાં અમિત સાધે કહ્યું, 'હું તે સમયે ઈન્ડસ્ટ્રીથી નારાજ હતો. મારા માટે એક મોટી વાત હતી અને હંમેશા રહેશે. સુશાંતના મૃત્યુના 3-4 મહિના પહેલા મેં સુશાંતને ઓળખતી વ્યક્તિ સાથે વાત કરી હતી. મેં તેને સુશાંતનો નંબર માંગ્યો, પણ સુશાંતનો કોઈ નંબર નહોતો. તેણે પોતાની જાતને સંપૂર્ણપણે અલગ કરી દીધી હતી અને પોતાનો નંબર બદલી નાખ્યો હતો. તમને જણાવી દઈએ કે અમિત સાધે સુશાંત અને રાજકુમાર રાવ સાથે ફિલ્મ 'કાઈ પો છે'માં કામ કર્યું હતું.

સુશાંતના મોતને થયા 2 વર્ષ
તમને જણાવી દઈએ કે તેમનું નિધન 14 જૂન 2020 ના રોજ થયું હતું. અભિનેતાનો મૃતદેહ તેના ઘરેથી મળી આવ્યો હતો. અહેવાલો અનુસાર, અભિનેતાએ આત્મહત્યા કરી લીધી હતી. જો કે તે સમયે તેમના મૃત્યુ પર ઘણો હોબાળો થયો હતો. આ કેસમાં સીબીઆઈએ દરેક એંગલથી તપાસ કરી હતી. જેના કારણે ડ્રગ કેસમાં ઘણા મોટા સ્ટાર્સની પૂછપરછ કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે અભિનેતા છેલ્લે ફિલ્મ દિલ બેચરા માં જોવા મળ્યો હતો.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11









Click it and Unblock the Notifications
