Video: અઝાન અંગે મોદી અને સલમાનનું શું છે રિએક્શન?
અઝાન અંગેની અનેક દલીલો વચ્ચે સોશિયલ મીડિયા પર અનેક વીડિયો વાયરલ થઇ રહ્યાં છે. તમામ વીડિયોમાં અઝાન દરમિયાનનું મોદી અને સલમાનનું રિએક્શન જુઓ અહીં.
અઝાન ને લઇને સોનુ નિગમે કરેલા ટ્વીટ ની કોન્ટ્રોવર્સિ શાંત થવાની જગ્યાએ વધતી જ જાય છે. એક બાજુ રાષ્ટ્રીય સ્તરે આ મુદ્દો ચર્ચાય છે, તો બીજી બાજુ સોશિયલ મીડિયા પર આ અંગેના અનેક વીડિયો પણ વાયરલ થઇ રહ્યાં છે. કેટલાક સોનુના નિવેદન સાથે સંમત છે, તો કેટલાક અસંમત. ઘણા લોકો હજુ પણ સોનુનો ભરપૂર વિરોધ કરી રહ્યાં છે.
સલમાને અટકાવી પ્રેસ કોન્ફરન્સ
ઉલ્લેખનીય છે કે, સોનુ નિગમે સોમવારે સવારે ટ્વીટ કરતાં લખ્યું હતું કે, હું મુસ્લિમ નથી, આમ છતાં રોજ સવારે મારે અઝાનના અવાજથી ઉઠવું પડે છે. તેણે પોતાના ટ્વીટમાં કીર્તન અને ગુરૂદ્વારાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમનો વિરોધ અઝાનમાં ઉપયોગમાં લેવાતા લાઉડસ્પીકર તરફ હતો. પરંતુ સોનુના આ શબ્દોથી તેમના મુસલમાન ફેન્સની લાગણી દુભાતા મોટો વિવાદ સર્જાયો છે.
|
પીએમ મોદીએ અટકાવ્યું ભાષણ
મામલો એટલો વધી ગયો કે, આ સિંગર વિરુદ્ધ ફતવો પણ બહાર પાડવામાં આવ્યો છે. વેસ્ટ બંગાળના માઇનૉરિટી યૂનાઇટેડ કાઉન્સિલના ઉપાધ્યક્ષ સૈયદ સાહ અતેફ અલી અલ કાદરીએ સોનુ નિગમ વિરુદ્ધ ફતવો બાહર પાડ્યો હતો. તેમણે કહ્યું હતું કે, સોનુ નિગમનું મુંડન કરી તેમને ફાટેલા જૂતાની માળા પહેરાવનારને 10 લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે.

સોનુ નિગમનું વિવાદાસ્પદ ટ્વીટ
તો બીજી બાજુ વિવાદ ખૂબ વધતાં સોનુ નિગમે પોતાની વાત સ્પષ્ટ કરવા માટે પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, હું નાસ્તિક, ધર્મ-વિરોધી કે મુસ્લિમ-વિરોધી નથી. મેં તો માત્ર મને પડતી તકલીફ સૌ સામે મુકી, જેનું કારણ મારો પોતાનો ધર્મ પણ હોઇ શકે છે. સાથે જ તેમણે કહ્યું હતું કે, હું મારા નિવેદન પર અડગ છું.

મૌલવીઓએ જાહેર કર્યા ફતવા
મામલો એટલો વધી ગયો કે, આ સિંગર વિરુદ્ધ ફતવો પણ બહાર પાડવામાં આવ્યો છે. વેસ્ટ બંગાળના માઇનૉરિટી યૂનાઇટેડ કાઉન્સિલના ઉપાધ્યક્ષ સૈયદ સાહ અતેફ અલી અલ કાદરીએ સોનુ નિગમ વિરુદ્ધ ફતવો બાહર પાડ્યો હતો. તેમણે કહ્યું હતું કે, સોનુ નિગમનું મુંડન કરી તેમને ફાટેલા જૂતાની માળા પહેરાવનારને 10 લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે.

સોનુની પ્રેસ કોન્ફરન્સ
તો બીજી બાજુ વિવાદ ખૂબ વધતાં સોનુ નિગમે પોતાની વાત સ્પષ્ટ કરવા માટે પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, હું નાસ્તિક, ધર્મ-વિરોધી કે મુસ્લિમ-વિરોધી નથી. મેં તો માત્ર મને પડતી તકલીફ સૌ સામે મુકી, જેનું કારણ મારો પોતાનો ધર્મ પણ હોઇ શકે છે. સાથે જ તેમણે કહ્યું હતું કે, હું મારા નિવેદન પર અડગ છું.

કરાવ્યું મુંડન
પ્રેસ કોન્ફરન્સ બાદ સોનુએ મૌલવીના ફતવાને અનુસરતા પોતાના હેર સ્ટાયલિસ્ટને ઘરે બોલાવી મુંડન પણ કરાવ્યું હતું. ત્યાર બાદ તેમણે મૌલવીઓને આ હેર સ્ટાયલિસ્ટને 10 લાખ રૂપિયા આપાવની વાત પણ કરી હતી.

સેલિબ્રિટીઝનું રિએક્શન
બોલિવૂડ અને રાજકારણમાં પણ આ કોન્ટ્રોવર્સિને કારણે દલીલ થઇ રહી છે. પૂજા ભટ્ટ, એજાઝ ખાન, સપા નેતા આઝમ ખાન જેવી હસતીઓએ સોનુનો વિરોધ કર્યો છે. કોંગ્રેસ નેતા અહમદ પટેલ અને એક્ટર અનુપમ ખેરે તેના નિવેદનને ટેકો આપ્યો છે.

અહીં વાંચો
બોલિવૂડના જાણીતા ગાયક સોનુ નિગમે પત્રકાર પરિષદ બોલાવી કહ્યું કે, મને પણ મારી વાત કહેવાનો હક છે. તેમણે કહ્યું કે, હું પણ આસ્તિક છું, નાસ્તિક નથી. હું પણ ધર્મમાં માનું છું.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
