અંધવિશ્વાસુ છે આ બોલિવૂડ સ્ટાર, ફિલ્મ હિટ કરાવવા કરે છે આ કામ
બોલિવૂડ સ્ટાર પણ અંધક્ષદ્ધામાં માનતા હોય છે. સલમાન ખાનથી લઈને શાહરૂખ ખાન સુધીના તમામ સ્ટારને વિવિભ બાબતોમાં લગાવ છે.
આમ તો બોલિવૂડ સ્ટાર આધુનિક હોવાનો દારો કરે છે પરંતુ બોલિવૂડમાં ઘણા એવા સ્ટાર પણ છે જે અંધશ્રદ્ધામાં પણ માને છે. આ ફિલ્મ સ્ટાર તેની ફિલ્મને હિટ કરાવવા માટે મેલી વિદ્યાનો સહારો લે છે. આજે આપણે બોલિવૂડના એવા સ્ટાર વિશે વાત કરવાના છીએ, જે અંધશ્રદ્ધાળુ મનાય છે અને ફિલ્મ હિટ કરવા માટે મેલી વિદ્યાનો સહારો લે છે.

દીપિકા પાદુકોણ
દીપિકા પાદુકોણને પણ ભગવાનમાં વિશ્વાસ છે. તે તેની કોઈ પણ ફિલ્મ પહેલા ભગવાનના દર્શન કરે છે. આ માટે તે સિદ્ધિવિનાયક મંદિરે ચોક્કસ પહોંચે છે.

સલમાન ખાન
સલમાન ખાનના હાથમાં કેટલાક વર્ષોથી એક બ્રેસલેટ જોવા મળે છે. આ બ્રેસલેટ તેને તેના પિતાએ આપ્યુ હતું. સલમાન તેને લકી માને છે અને કાયમ પહેરે છે.

શાહરૂખ ખાન
શાહરૂખ ખાન પણ આ લિસ્ટમાં સામેલ છે. શાહરૂખ ખાનને નંબરમાં વિશ્વાસ છે. તે 555ને પોતાનો લકી નંબર માને છે. તેની કારનો નંબર પણ 555 છે.

બિપાસા બાસુ
બિપાસા બાસુની ગણતરી પણ અંધશ્રદ્ધાળુ અભિનેત્રીમાં થાય છે. કહેવાય છે કે તે દર શનિવારે લીંબુ અને મરચા ખરીદે છે. આવુ તે ખરાબ નજરથી બચવા માટે કરે છે.

ઋતિક રોશન
ઋતિક રોશનની ગણતરી મોટા સ્ટારમાં થાય છે. ઘણી બધી સફળ ફિલ્મો આપનાર ઋતિક રોશનને પણ આવી બાબતોમાં વિશ્વાસ રાખે છે. તેને બે અંગુઠા છે અને તે તેને નસીબદાર માને છે.

કેટરીના કૈફ
કેટરીના કૈફને કેટલીક બાબતોમાં ખાસ વિશ્વાસ છે. તે તેની ફિલ્મના રિલિઝ પહેલા તે અજમેરની મોઇનુદ્દીન ચિશ્તીની દરગાહ પર ચોક્કસ જાય છે. તેના ફોટો પણ વાયરલ થતા રહે છે.

અમિતાભ બચ્ચન
બોલિવૂડમાં મહાનાયક ગણાતા અમિતાભ બચ્ચન પણ અંધક્ષદ્ધામાં માને છે. તે માને છે કે તે લાઈવ મેચ જોવે તો ઈન્ડિન ટીમની વિકેટ પડવા લાગે છે. આ માટે તે રેકોર્ડેડ મેચ જોવે છે.

રણવીર સિંહ
બોલ્ડ અભિનેતાની છબી ધરાવતા રણવીર સિંહનું નામ પણ આ યાદીમાં છે. તે પોતાના જમણા પગે કાળો દોરો બાંધે છે. આને તે લકી ચાર્મ માને છે. વિગતો અનુસાર, પહેલીવાર આ કાળો દોરો તેની માતાએ બાંધ્યો હતો. ત્યારથી તે બાંધે છે.

રણબીર કપૂર
રણબીર કપૂરને 8 નંબર સાથે વિશેષ લગાવ છે. તેની માતા નીતુ કપૂરનો 8 જૂલાઈએ જન્મદિવસ હોવાથી તે તેને લક્કી માને છે. તે તમામ કામ 8 સાથે જોડીને જ કરે છે.

અક્ષય કુમાર
આ લિસ્ટમાં અક્ષય કુમાર પણ સામેલ છે. અક્ષય કુમાર પોતાની ફિલ્મોના સ્ક્રીનિંગ માટે ભારત બહાર જાય છે. તે માને છે કે આમ કરવાથી તેની ફિલ્મને ફાયદો થાય છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
