Pics : ‘મમતા’માંથી મુક્ત થઈ ગયાં કુલકર્ણી?
મુંબઈ, 23 જુલાઈ : અંતે ગુમનામીના અંધકારમાંથી બહાર મીડિયા સામે આવ્યાં ખરા નેવુના દાયકાના સેક્સી બાળા મમતા કુલકર્ણી. એક વેબસાઇટમાં પ્રસિદ્ધ થયેલ ઇંટરવ્યૂ મૂજબ હાલ મમતા કુલકર્ણીએ આધ્યાત્મિક જીવન અપનાવી લીધું છે. મમતાએ જણાવ્યું છે કે મારા ઘરના સભ્યો પણ નથી જાણતાં કે છેલ્લા 12-13 વર્ષોથી હું ક્યાં છું અને શું કરી રહી છું?
મમતા કુલકર્ણીએ જણાવ્યું કે તેઓ પોતાનું સમગ્ર જીવન હવે ભગવાનને સમર્પિત કરી ચુક્યાં છે. હવે એક તેઓ એક આધ્યાત્મિક પુસ્તક પણ લખી ચુક્યાં છે કે જેનું નામ છે ઑયોબાયોગ્રાફી ઑફ એન યોગિની. મમતાએ બૉલીવુડમાં પુનરાગમનના પ્રશ્ન ઉપર હસતા જણાવ્યું - મને હસવું આવે છે આ સવાલ ઉપર. આપ જ બતાવો કે શું ઘીને પુનઃ દૂધ બનાવવું શક્ય છે? તેથી હવે હું ક્યારેય બૉલીવુડ જગતમાં પાછી ન ફરી શકું.
મમતાએ જણાવ્યું - આજે મારા માટે શાહરુખ ખાન કે સલમાન ખાન જેવાઓનું કોઈ મહત્વ નથી, પણ આજે મારા માટે માત્ર ઈશ્વર જ મહત્વ ધરાવે છે. દાણચોર સાથે લગ્ન કરવાના સવાલના જવાબમાં મમતાએ જણાવ્યું - મેં કોઈની સાથે લગ્ન નથી કર્યાં. હું પરિણીતી નથી. હા, હું વિકી ગોસ્વામીને પ્રેમ કરુ છું, પણ મારો પ્રથમ પ્રેમ ભગવાન છે. આ વાત વિકી પણ જાણે છે. મને ખુશી છે કે તે જેલમાંથી બહાર આવી ચુક્યો છે. મેં છેલ્લા 12 વરસથી અરીસો નથી જોયો અને નથી બ્યુટી પાર્લર ગઈ કે નથી મેકઅપ કર્યું. મારા માટે હવે આ વસ્તુઓનો કોઈ મહત્વ નથી.

સાધ્વી બની ગયાં મમતા
12 વરસ બાદ અચાનક સાધ્વી તરીકે લોકો સામે આવ્યાં છે મમતા કુલકર્ણી. તેમણે અધ્યાત્મ ઉપર એક પુસ્તક લખ્યું છે કે જેનું નામ છે ઑટોબાયોગ્રાફી ઑફ એન યોગિની.

વિકી સાથે લગ્ન નથી કર્યાં
મમતાએ જણાવ્યું કે તેઓ અપરિણીત છે. તેમણે વિકી ગોસ્વામી સાથે લગ્ન નથી કર્યાં. જોકે તેઓ વિકીને પ્રેમ કરે છે, પરંતુ તેમના માટે ઈશ્વર તેમનો પ્રથમ પ્રેમ છે.

અરીસો નથી જોયો
મમતાએ 12 વરસથી અરીસો નથી જોયો અને મેક-અપ જેવી વસ્તુઓને હાથ પણ નથી લગાડ્યો.

ઈશ્વર માટે થયો જન્મ
મમતાએ જણાવ્યું કે કેટલાંક લોકોનો જન્મ કર્મો માટે થાય છે, પણ મારો જન્મ ઈશ્વર માટે થયો છે. તેથી હું ઈશ્વરને પ્રેમ કરુ છું.

ઇસ્લામ સ્વીકારની વાત ખોટી
થોડાક દિવસ અગાઉ જાણવા મળ્યુ હતું કે મમતા કુલકર્ણીએ ઇસ્લામ ધર્મ સ્વીકારી લીધું છે. તેઓ દાણચોર વિકી ગોસ્વામી સાથે પરણીને કેન્યામાં રહે છે, પણ આ બધી વાતો ખોટી સાબિત થઈ.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
