પ્રિવ્યૂ : નથી બાપૂ કે નથી અણ્ણાનો, આ છે ઝાનો સત્યાગ્રહ
મુંબઈ, 29 ઑગસ્ટ : ફરી એક વાર જ્વલંત મુદ્દા ઉપર ફિલ્મ લઈને આપની સામે આવી રહ્યાં છે જાણીતા નિર્માતા-દિગ્દર્શક પ્રકાશ ઝા. ઝાની આ ફિલ્મનું નામ છે સત્યાગ્રહ. નામ ઉપરથી જ સ્પષ્ટ છે કે ફિલ્મ નરસાઈ ઉપર સારાઈના વિજયનો જ સંદેશ આપતી હશે. કોઈ કહે છે કે સત્યાગ્રહ 2જી કૌભાંડ આધારિત છે, કોઈક તેને સમાજવાદી અણ્ણા હઝારેના આંદોલન સાથે સાંકળે છે. કેટલાંક લોકો તેને મહાત્મા ગાંધી પ્રેરિત પણ માને છે, પણ આ બધાથી વિપરીત પ્રકાશ ઝા કહે છે કે તેમની ફિલ્મ કોઈ કૌભાંડ, અણ્ણા હઝારે કે મહાત્મા ગાંધીના સત્યાગ્રહ ઉપર આધારિત નથી. સત્યાગ્રહ ફિલ્મ દેશની વણસેલી વ્યવસ્થા પર આધારિત છે કે જેને લોકો જોશે અને અનુભવશે.
ખેર કોણ સાચુ છે ને કોણ ખોટું, તે તો શુક્રવારે ખબર પડી જ જશે. ફિલ્મ શુક્રવારે રિલીઝ થઈ રહી છે. ફિલ્મની ભારે-ભરકમ સ્ટાર કાસ્ટ આ ફિલ્મની યૂએસપી છ. લાંબા સમય બાદ લોકોને અમિતાભ બચ્ચન ઍંગ્રી યંગ મૅન તરીકે નજરે પડવાના છે. ફિલ્મના પ્રોમોથી સ્પષ્ટ છે કે અમિતાભનું પાત્ર ભલે એક વૃદ્ધ વ્યક્તિનું છે, પણ તેમનો અંદાજ ખૂબ જ ગરમ છે. બરાબર એવો જ કે જેવો સિત્તેર-એંસીના દાયકાની ફિલ્મોમાં રહેતો હતો. તો બીજી બાજુ પ્રકાશ ઝા સાથે તેમના ફૅવરિટ અજય દેવગણ, અર્જુન રામપાલ અને મનોજ બાજપાઈ પણ છે. આ સ્ટાર કાસ્ટની કેટલી અસર થશે, તે તો ફિલ્મ રિલીઝ થયા બાદ જ ખબર પડશે, પરંતુ આ ત્રણે જ્યારે પણ મળે છે, પડદા ઉપર કમાલ કરે છે. તેથી સત્યાગ્રહ ફિલ્મ અંગે લોકોમાં ઉત્સુકતા વધી ગઈ છે. ફિલ્મમાં કરીના કપૂર પણ છે કે જેઓ યાસ્મીન અહેમદના રોલમાં છે કે જે એક પત્રકાર છે. ખાદીની સાડી પહેરેલા અમૃતા રાવ પણ પ્રોમોમાં સારા દેખાઈ રહ્યાં છે.
આવો તસવીરો સાથે જાણીએ સત્યાગ્રહ ફિલ્મ અંગે વધુ વિગતો :

સત્યનો સંઘર્ષ સત્યાગ્રહ
ફિલ્મ સત્યાગ્રહમાં સત્યનો સંઘર્ષ બતાવાયો છે. ફિલ્મમાં યુવાનોનો જોશ અને વડીલોનો આદર્શ દેશમાં ક્રાંતિ લાવે છે.

એકલ રિલીઝ
સત્યાગ્રહ 30મી ઑગસ્ટે રિલીઝ થશે. તે એકલ ફિલ્મ હશે. તેની સાથે બીજી કોઈ ફિલ્મ રિલીઝ નથી થતી.

અમિતાભ બચ્ચન
ફિલ્મની યૂએસપી અમિતાભ બચ્ચન છે કે જેઓ એક આદર્શ વ્યક્તિનો રોલ કરી રહ્યાં છે. તેઓ અન્યાય સામે અવાજ ઉઠાવે છે અને અનશન ઉપર બેઠા છે.

કરીના પત્રકાર
પોતાના 13 વર્ષના કૅરિયરમાં કરીનાએ પહેલી વાર મજબૂત પત્રકારનો રોલ કર્યો છે. લગ્ન બાદ લીડ રોલ ધરાવતા આ તેમની પ્રથમ ફિલ્મ રિલીઝ થઈ રહી છે.

મનોજ નેગેટિવ
મનોજ બાજપાઈ નેગેટિવ રોલમાં છે. તેઓ રાજકારણી છે કે જે ભ્રષ્ટ નીતિઓથી દેશને ખોખલું બનાવી રહ્યો છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી







Click it and Unblock the Notifications
