દુઆઓની થઈ રહી છે અસર, અફવાઓ પર ધ્યાન ન આપો', રાજૂ શ્રીવાસ્તવમાં ભાઈએ ફેન્સને કરી અપીલ
તમામ અહેવાલો પર પૂર્ણવિરામ મૂકતા રાજૂ શ્રીવાસ્તવના પરિવારે લોકોને તેમના સ્વાસ્થ્યના અપડેટ આપ્યા છે.
મુંબઈઃ હાલમાં જ કૉમેડિયન રાજૂ શ્રીવાસ્તવની તબિયત વિશે અપડેટ આવ્યુ હતુ કે તેમની તબિયત વધુ ખરાબ થઈ રહી છે. આ સાથે તેમના બ્રેઈન ડેડના સમાચાર પણ હેડલાઈન્સમાં હતા. જો કે આ તમામ અહેવાલો પર પૂર્ણવિરામ મૂકતા રાજૂ શ્રીવાસ્તવના પરિવારે લોકોને તેમના સ્વાસ્થ્યના અપડેટ આપ્યા છે. રાજૂ હજુ પણ દિલ્લીની AIIMS હોસ્પિટલમાં દાખલ છે અને કૉમેડિયન વિશે સોશિયલ મીડિયા પર ઉડી રહેલી અફવાઓ વચ્ચે તેના પરિવારનુ નિવેદન સામે આવ્યુ છે. રાજૂના ભાઈ દીપુ શ્રીવાસ્તવે ભાઈની હેલ્થ અપડેટ આપતા ચાહકોને ખાસ અપીલ પણ કરી છે.

10 દિવસથી એડમિટ છે કૉમેડિયન
રાજૂ શ્રીવાસ્તવ છેલ્લા 10 દિવસથી દિલ્લીની AIIMS હોસ્પિટલમાં દાખલ છે. કૉમેડિયનની તબિયતને લઈને દરરોજ નવી અપડેટ સામે આવી રહી છે. ભૂતકાળમાં તેમની ખરાબ તબિયતના સમાચાર સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ ગયા હતા. આવી સ્થિતિમાં હવે તેમના સ્વાસ્થ્યને લઈને પરિવારનુ નિવેદન સામે આવ્યુ છે.

શું કહ્યુ દીપુ શ્રીવાસ્તવે?
રાજૂ શ્રીવાસ્તવના સ્વાસ્થ્યને લઈને તેમના ભાઈ દીપુ શ્રીવાસ્તવે ફેન્સ સાથે એક અપડેટ શેર કરી છે. દીપુએ ચાહકોની પ્રાર્થના અને દુઆઓ માટે આભાર માન્યો હતો. એક વીડિયો સંદેશમાં દીપુ શ્રીવાસ્તવે કહ્યુ કે તે હજુ પણ હૉસ્પિટલમાં છે પરંતુ તેમને વિશ્વાસ છે કે ચાહકોની પ્રાર્થના જલ્દી કામ આવશે. અમને ઘણી સારી સુવિધાઓ મળી રહી છે. રાજૂના ઈલાજ માટે પ્રોફેશનલ ડૉક્ટરોની ટીમ ખૂબ જ મહેનત કરી રહી છે.

અફવાઓનુ કર્યુ ખંડન, રાજૂને ગણાવ્યા ફાઈટર
રાજૂના ભાઈ દીપુએ હાસ્ય કલાકારની તબિયત અંગેની અફવાઓને નકારી કાઢી છે અને આવી બધી અફવાઓ પર વિશ્વાસ ન કરવા વિનંતી કરી છે. દીપુએ ચાહકોને પ્રાર્થના કરતા રહેવાની અપીલ કરી છે. રાજૂને ભાઈ દીપુએ ફાઈટર ગણાવ્યા હતા. તેમણે કહ્યુ કે તે જલ્દી સાજા થઈ જશે અને આ યુદ્ધ જીતીને પાછા આવશે અને તેમની કૉમેડીથી બધાનુ મનોરંજન કરશે.

જીમમાં આવ્યો એટેક
તમને જણાવી દઈએ કે 10 ઓગસ્ટના રોજ રાજૂ શ્રીવાસ્તવને જીમમાં એક્સરસાઇઝ કરતી વખતે હાર્ટ એટેક આવ્યો હતો. જેના પછી તેમના ટ્રેનર તેમને હૉસ્પિટલ લઈ આવ્યા હતા. ત્યારથી કૉમેડિયનને દિલ્લીની AIIMS હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
