‘રજની-કમલ’ ખિલવનાર હતાં બાલચંદર : જુઓ તસવીરો
ચેન્નઈ, 23 ડિસેમ્બર : તામિળ સિનેમામાં ફિલ્મ નિર્માણની નવી લહેર ઉપજાવનાર લોકપ્રિય અને જાણીતા તામિળ ફિલ્મ નિર્માતા કે બાલચંદરનું ગઈકાલે નિધન થઈ ગયું. તેઓ 84 વર્ષના હતાં. કમલ હસન, રજનીકાંત અને શ્રીદેવી જેવા કલાકારોની પ્રતિભા નિખારવામાં બાલચંદરે મહત્વની ભૂમિકા ભજવી હતી.
કે બાલચંદર છેલ્લા કેટલાક દિવસથી બીમાર હતાં અને હૉસ્પિટલમાં દાખલ હતાં. બાલચંદરના મૅનેજરે જણાવ્યું કે તેમને ગત સમવારે કાવેરી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં.
દાદા સાહેબ ફાલ્કે પુરસ્કાર વિજેતા કે બાલચંદરે અરંગેતરમ, અવલ ઓરૂ થોડારકધાઈ, અપૂર્વ રાગનગલ (રજનીકાંત અને કમલ હસન અભિનીત), અવારગલ, એક દૂજે કે લિયે તથા આઈના જેવી ફિલ્મો બનાવી હતી.
મળતી માહિતી મુજબ કે બાલચંદરનું નિધન હૃદય રોગનો હુમલો થતા થયું. કેબીના નામે જાણીતા કૈલાસમ બાલચંદરે તામિળ ફિલ્મોમાં મહત્વના વિષયો ઉઠાવ્યા તથા ફિલ્મોમાં મહિલાઓ તથા દલિતોના હિતો પર ધ્યાન કેન્દ્રિત કર્યું.
બાલચંદરે સરિતા, સુજાતા, મોહન, પ્રકાશ રાજ, કૉમેડિયન વિવેક તેમજ ચરિત્ર અભિનેતા નઝર જેવા નવા ચહેરાઓ સાથે પ્રયોગો કર્યાં. તેઓ પોતાના અભિનેતાઓ પાસે શ્રેષ્ઠ કામગીરી લેતા હતાં. તેમનું નિધન થતા તામિળ જ નહીં, પણ આખી સાઉથ ઇંડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોકની લહેર વ્યાપી ગઈ.
જુઓ કે બાલચંદરને શ્રદ્ધાંજલિ અર્પવા કોણ-કોણ પહોંચ્યું :

રજનીકાંતની શ્રદ્ધાંજલિ
રજનીકાંતે કે બાલચંદરના પાર્થિવ દેહ પર શ્રદ્ધાંજલિ અર્પી હતી. રજનીએ જણાવ્યું કે કે બાલચંદર માત્ર તેમના ગુરુ જ નહીં, પણ પિતા સમાન પણ હતાં.

પત્નીને સાંત્વન
આ પ્રસંગે રજનીકાંતે બાલચંદરના પત્નીને સાંત્વન પણ આપ્યુ હતું.

કરુણાનિધિ
તામિળનાડુના ભૂતપૂર્વ મુખ્યમંત્રી એમ કરુણાનિધિએ પણ બાલચંદરને શ્રદ્ધાંજલિ અર્પી હતી.

એસપી મુથુરામન
જાણીતા દિગ્દર્શક એસપી મુથુરામન બાલચંદરના પત્નીને સાંત્વન આપતા જણાય છે.

રાધિકા
રાધિકા સરથકુમાર બાલચંદરની પાર્થિવ દેહ પર પુષ્પાંજલિ અર્પતાં.

વાયકો
તામિળનાડુના જાણીતા રાજકારણી વાયકોએ પણ બાલચંદરને શ્રદ્ધા-સુમન અર્પ્યા હતાં.

વૈરામુથુ-રજનીકાંત
બાલચંદરના ઘરે વૈરામુથુ અને રજનીકાંત.

વસંત
બાલચંદરની હાથ નીચે કામ કરનાર સહાયક દિગ્દર્શક વસંતે પણ શ્રદ્ધાંજલિ અર્પી હતી.

સરથકુમાર
બાલચંદરના નિવાસ સ્થાને પહોંચ્યાં સાઉથ ઇન્ડિયન એક્ટર સરથકુમાર.

સીરિયલ કનેક્શન
બાલચંદરની ઘણી ટેલીવિઝન સીરિયલોમાં કામ કરનાર કલાકારોએ પણ તેમને શ્રદ્ધાંજલિ અર્પી હતી.

ટીવી પર્સનાલિટી
જાણીતી ટેલીવિઝન પર્સનાલિટી બાલચંદરના અંતિમ દર્શને પહોંચ્યા હતાં.

વાયજી મહેંદ્રન
જાણીતા કૉમેડિયન વાયજી મહેંદ્રન બાલચંદરના અંતિમ દર્શને. બાલચંદરની કેટલીક ફિલ્મોમાં મહેંદ્રને કામ કર્યુ હતું.

મીડિયા સાતે વાતચીત
દિગ્દર્શક વસંતે મીડિયા સાથે વાતચીત કરી હતી.

મહાન ફિલ્મમેકર
કે બાલચંદર તામિળ સિનેમાના મહાન ફિલ્મ નિર્માતા હતાં.

આરઆઈપી
વનઇંડિયા પરિવાર પણ પ્રાર્થના કરે છે કે બાલચંદરના આત્માને ઈશ્વર શાંતિ અર્પે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
