Pics : જિયાની લ્હાયમાં ભુલાયાં આ જાજરમાન અભિનેત્રી
મુંબઈ, 5 જૂન : ગઈકાલે 4થી જૂન હતી. ગ્લૅમર જગતનો આ દિવસ જિયા ખાનના નામે થઈ ગયો. આખો દિવસ મીડિયામાં માત્રને માત્ર જિયા ખાન અને તેમની આત્મહત્યાના સમાચારો જ છવાયેલા રહ્યાં. જિયા ખાનની લ્હાયમાં હિન્દી સિનેમાના એક જાજરમાન અભિનેત્રી નૂતન ભુલાઈ ગયાં કે જેમની ગઈકાલે પુણ્યતિથિ હતી.
પોતાના કૅરિયરમાં અનેક સારી ફિલ્મો અને તેમાં દર્દ ભર્યાં રોલ કરનાર નૂતનનો જન્મ 4થી જૂન, 1936ના રોજ મુંબઈમાં થયો હતો. તેઓ 21મી ફેબ્રુઆરી, 1991ના રોજ આ ફાની દુનિયા છોડી ચાલ્યા ગયા હતાં. ગઈકાલે નૂતનની 77મી પુણ્યતિથિ હતી, પરંતુ જિયા ખાન દ્વારા આપઘાત કરાયાનાં સમાચારો વચ્ચે આ જાજરમાન અભિનેત્રી સાવ ભુલાઈ જ ગયાં.
જોકે નૂતનના પુત્ર અને બૉલીવુડ તથા ટેલીવિઝન કલાકાર મોહનીશ બહલ આ દિવસ ક્યારેય ન ભુલી શકે. તેમને યાદ હતી પોતાના માતાની પુણ્યતિથિ. મોહનીશ બહલે આ પ્રસંગે પોતાના માતા નૂતન સાથે જોડાયેલી કેટલીક વાતો શૅર કરી.
આવો તસવીરો સાથે જાણીએ માતા નૂતન અંગે પુત્ર મોહનીશના દિલની વાતો.

આંખો છલકી પડી
હિન્દી સિનેમાના જાજરમાન અભિનેત્રી નૂતનની ગઈકાલે 77મી પુણ્યતિથિ હતી. આ પ્રસંગે નૂતનના પુત્ર અને બૉલીવુડ-ટેલીવુડના જાણીતા કલાકાર મોહનીશ બહલે પોતાના માતાને યાદ કર્યાં અને તેમની આંખો છલકી પડી.

માતાની ફિલ્મો નથી જોતો
મોહનીશે જણાવ્યું - હું પોતાના માતાની ફિલ્મો નથી જોતો, કારણ કે તેમણે પોતાના કૅરિયરમાં અનેક એવી ફિલ્મો કરી હતી કે જેમાં તેમનું ચરિત્ર દર્દભર્યુ હતું.

માતાને દર્દમાં નથી જોઈ શકતો
મોહનીશે જણાવ્યું - માતાનું આવું દર્દભર્યું ચરિત્ર જોઈ મને ખૂબ માઠું લાગે છે, કારણ કે હું મારા માતાને દર્દમાં નથી જોઈ શકતો. તેથી હું તેમની ફિલ્મો નથી જોતો.

હાર નહોતા માનતાં નૂતન
મોહનીશે કહ્યું - હું પોતાના માતાની કાયમ નજીક રહ્યો છું. જ્યારે મારા માતાને કૅંસર થયું, ત્યારે પણ મારા માતાએ ક્યારેય હાર નહોતી માની. તેઓ કાયમ પોતાના પરિવારને હિમ્મત આપતા હતાં.

કૅંસર વિશે સાંભળી નિરાશ નહોતા થયાં
મોહનીશ કહે છે - જ્યારે નૂતનને ખબર પડી કે તેમને કૅંસર થયં છે, ત્યારે તેઓ નિરાશ નહોતા થયાં.

પહેલી વાર જીતી ગયા હતાં
મોહનીશના જણાવ્યા મુજબ - પહેલી વાર જ્યારે ખબર પડી કે નૂતનને કૅંસર છે, ત્યારે તેમણે એક વાર તો કૅંસર ઉપર વિજય મેળવી લીધો હતો, પરંતુ પછીથી તેમના લીવર કૅંસર થઈ ગયું.

મોડુ થઈ ગયું
મોહનીશ કહે છે - લીવર કૅંસર અંગે જ્યારે જાણ થઈ, ત્યારે બહુ મોડુ થઈ ગયુ હતું અને અમે તેમને બચાવી ન શક્યાં.

મોહનીશના વખાણ કર્યા હતાં
નૂતનનું મોત 1991માં થયું. તે પહેલા મોહનીશની બે ફિલ્મો બાગી તથા મૈંને પ્યાર કિયા રિલીઝ થઈ ચુકી હતી. બંને ફિલ્મોમાં મોહનીશની એક્ટિંગના નૂતને ખૂબ વખાણ કર્યા હતાં.

રાજ-સુનીલ-દેવ સાથે શ્રેષ્ઠ જોડી
મોહનશી બહલ માને છે કે નૂતનની જોડી રાજ કપૂર, સુનીલ દત્ત અને દેવ આનંદ સાથે શ્રેષ્ઠ લાગતી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
