નવાઝુદ્દીન સિદ્દીકીનો પરિવાર ઉત્તરાખંડમાં ફસાયો
મુંબઈ, 22 જૂન : બૉલીવુડ અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી ખૂબ જ ચિંતિત અને મુશ્કેલીમાં છે. ઉત્તરાખંડમાં તેમનો પરિવાર વિનાશકારી પૂરમાં ફસાઈ ગયં છે. નવાઝુદ્દીન માંડ માંડ પોતાના પરિજનો સાથે સમ્પર્ક શાધી શકી રહ્યાં છે.

નવાઝુદ્દીને પોતાના પ્રારંભિક કેટલાંક વર્ષો ઉત્તરાખંડમાં પસાર કર્યાં છે. તેમણે જણાવ્યું - દેહરાદૂન ખાતે મારી એક બહેન અને ત્રણ ભાઇઓ રહે છે. જોકે હાલ તેઓ સલામત છે. ઉત્તરાખંડનું પાટનગર દેહરાદૂન દેશના પાટનગરથી લગભગ 340 કિલોમીટર દૂર છે. ઉત્તરાખંડમાં આવેલ પૂર અને તબાહીથી થયેલ મોતોથી નવાઝુદ્દીન ખૂબ જ આઘાતમાં છે. તેમણે જણાવ્યું - મારો પરિવાર ત્યાં છે, તે જુદી વાત છે, પરંતુ ઘણાં બધા પ્રવાસીઓ, તીર્થયાત્રીઓ અને ત્યાંના સ્થાનિક લોકો પણ હાલ એકદમ અસહાય અવસ્થામાં છે. નવાઝુદ્દીન સિદ્દીકી પ્રકૃતિના કહેરનો ભોગ બનેલ લોકોની સહાય કરવા માંગે છે.
ગૅંગ્સ ઑફ વાસેપુર, કહાની તથા આત્મા તેમજ તલાશ જેવી ફિલ્મોમાં મહત્વની ભૂમિકા ભજવનાર નવાઝુદ્દીને જણાવ્યું - હું ખૂબ જ સામાન્ય પરિવારમાંથી આવુ છું, પરંતુ ઉત્તરાખંડ અંગે મારા મનમાં સુંદર યાદો વસેલી છે. આ તબાહી જોઈ મને ખૂબ તકલીફ થઈ રહી છે. કુદરતે મારા સુંદર શહેર ઉપર કેવો કહેર વરસાવ્યો છે. મને લાગે છે કે આપણે આપણાં જ આર્થિક દોહનનું પરિણામ ભોગી રહ્યાં છીએ.












Click it and Unblock the Notifications
