રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ડાયરેક્ટર એસપી જનનાથનનું 61 વર્ષની ઉંમરે નિધન
રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ડાયરેક્ટર એસપી જનનાથનનું 61 વર્ષની ઉંમરે નિધન
રાષ્ટ્રીય પુરસ્કરા વિજેતા નિર્દેશક એસપી જનનાથનનું રવિવારે સવારે 10 વાગ્યે ચેન્નઈની અપોલો હોસ્પિટલમાં નિધન થયું. થોડા દિવસ પહેલાં તેઓ પોતાના ઘરે બેભાન હાલતમાં મળી આવ્યા હતા જે બાદ તેમને હોસ્પિટલે દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમનો ઈલાજ ચાલી રહ્યો હતો. નિર્દેશક અરુમુગકુમાર મુજબ તેમને આજે કાર્ડિયાક અરેસ્ટ થયો હતો જે બાદ તેમનું નિધન થયું.

એસપી જનનાથન તમિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સૌથી આદરણીય નિર્દેશકોમાંથી એક હતા. તેઓ 61 વર્ષના હતા અને હાલમાં જ પોતાના ઘરમાં બેભાન હાલતમાં મળી આવ્યા હતા. તેમના નિધન પર વિવિધ ક્ષેત્રોની જાણીતી હસ્તીઓએ સંવેદના વ્યક્ત કરી છે.
નિર્દેશક અરુમુગકુમારે શોક વ્યક્ત કરતા ટ્વિટર પર લખ્યું, "આપણા નિર્દેશક એસપી જનનાથન સર જેઓ ગંભીર હાલતમાં હતા અને અપોલો હોસ્પિટલમાં ઈલાજ ચાલી રહ્યો હતો તેમનું આજે સવારે 10.07 મિનિટે કાર્ડિયાક અરેસ્ટને કારણે નિધન થઈ ગયું. ભગવાન તેમની આત્માને શાંતિ આપે." જણાવી દઈએ કે પોતાના ઘરે બેભાન હાલતમાં મળ્યા તે પહેલાં તેઓ એક ફિલ્મ લાબામની એડિટિંગ કરી રહ્યા હતા જેમાં અભિનેતા વિજય સેતુપતિ અને શ્રુતિ હાસન મુખ્ય ભૂમિકાઓમાં છે.
અભિનેતા જયમ રવિ જેમણે ફિલ્મ પેરાનમાઈમાં તેમની સાથે કામ કર્યું હતું, તેમણે પણ તેના નિધન પર સંવેદના વ્યક્ત કરી છે. ટ્વિટર પર નિર્દેશક જનનાથનની તસવીર શેર કરતા તેમણે લખ્યું, 'ભગવાન તમારી આત્માને શાંતિ આપે, તમે હંમેશા અમારી યાદોમાં રહેશો.'
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
