આવનારી પેઢીઓ લતા દીદીને ભારતીય સંસ્કૃતિના દિગ્ગજ તરીકે યાદ રાખશેઃ પીએમ મોદી
નિધન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, કેન્દ્રીય માર્ગ તેમજ પરિવહન મંત્રી નિતિન ગડકરી સહિત ઘણી દિગ્ગજ નેતાઓએ તેમને શ્રદ્ધાંજલિ આપી છે.
નવી દિલ્લીઃ ભારતના સ્વર કોકિલા લતા મંગેશકરનુ નિધન થઈ ગયુ છે. 92 વર્ષની ઉંમરે લતા મંગશકરે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે. તેમના નિધન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, કેન્દ્રીય માર્ગ તેમજ પરિવહન મંત્રી નિતિન ગડકરી સહિત ઘણી દિગ્ગજ નેતાઓએ તેમને શ્રદ્ધાંજલિ આપી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને કહ્યુ, 'હું પોતાની પીડા શબ્દોમાં વર્ણવી નથી શકતો. દયાળુ લતા દીદી આપણને છોડીને જતા રહ્યા છે. તેઓ આપણા દેશમાં એક ખાલીપણુ છોડી ગયા છે જેને ભરી ન શકાય. આવનારી પેઢીઓ તેમને ભારતીય સંસ્કૃતિના એક દિગ્ગજ તરીકે યાદ રાખશે જેમના સુરીલા અવાજમાં લોકોને મંત્રમુગ્ધ કરવાની અદભૂત ક્ષમતા હતી.'
I am anguished beyond words. The kind and caring Lata Didi has left us. She leaves a void in our nation that cannot be filled. The coming generations will remember her as a stalwart of Indian culture, whose melodious voice had an unparalleled ability to mesmerise people. pic.twitter.com/MTQ6TK1mSO
— Narendra Modi (@narendramodi) February 6, 2022
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ટ્વિટ કર્યુ, 'સ્વર કોકિલા લતા મંગેશકરજીના નિધનથી ભારતનો અવાજ ખોવાઈ ગયો છે. લતાજીએ આજીવન સ્વર અને સુરની સાધના કરી, તેમના ગાયેલા ગીતોને ભારતની ઘણી પેઢીઓએ સાંભળ્યા અને ગણગણ્યા છે. તેમનુ નિધન દેશની કલા અને સંસ્કૃતિ જગતની બહુ મોટી ખોટ છે. તેમના પરિવાર અને પ્રશંસકો પ્રત્યે મારી સંવેદના.' તમને જણાવી દઈએ કે લતા મંગેશકર લગભગ એક મહિનાથી બિમાર હતી. 8 જાન્યુઆરીએ તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા.
‘स्वर कोकिला’ लता मंगेशकर जी के निधन से भारत की आवाज़ खो गई है। लताजी ने आजीवन स्वर और सुर की साधना की। उनके गाये हुए गीतों को भारत की कई पीढ़ियों को सुना और गुनगुनाया है। उनका निधन देश की कला और संस्कृति जगत की बहुत बड़ी क्षति है।उनके परिवार और प्रशंसकों के प्रति मेरी संवेदनाएँ।
— Rajnath Singh (@rajnathsingh) February 6, 2022
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
