કમલ હસન કોરોના પોઝિટીવ, હોસ્પિટલમાં દાખલ કરાયા!
ફેમસ એક્ટર અને પોલિટિશિયન કમલ હસન કોરોના સંક્રમિત થયા છે, તેમણે પોતે ટ્વિટર પર આ વિશે માહિતી આપી છે. અહેવાલ છે કે કમલ હસન તાજેતરમાં જ અમેરિકાથી પરત ફર્યા હતા.
નવી દિલ્હી, 22 નવેમ્બર : ફેમસ એક્ટર અને પોલિટિશિયન કમલ હસન કોરોના સંક્રમિત થયા છે, તેમણે પોતે ટ્વિટર પર આ વિશે માહિતી આપી છે. અહેવાલ છે કે કમલ હસન તાજેતરમાં જ અમેરિકાથી પરત ફર્યા હતા, ત્યારબાદ તેમને ખાંસી અને શરદી થઈ હતી. આ પછી તેમણે ટેસ્ટ કરાવ્યો જે પોઝિટિવ આવ્યો. તેની ટીમે પણ આ વાતની પુષ્ટિ કરી છે.

હવે સમજાયુ કે મહામારી ઓછી નથી થઈ
કમલ હસને તમિલ ભાષામાં ટ્વિટ કર્યું છે, જેમાં તેમણે લખ્યું કે 'હવે હું સમજી ગયો છું કે રોગચાળો ઓછો થયો નથી, મને યુએસ ટ્રિપથી પાછા ફર્યા બાદ થોડી ઉધરસ થઈ હતી, ટેસ્ટ કરાવ્યો અને ખબર પડી કે મને કોરોના થઈ ગયો છે, હાલમાં હું આઈસોલેશનમાં છું. તમે લોકો પણ ધ્યાન રાખો અને કાળજી લો. હાલમાં કમલ હસન ચેન્નઈની એક હોસ્પિટલમાં દાખલ છે.

કમલ હશન કમાલના અભિનેતા છે
તમને જણાવી દઈએ કે બહુર્મુખી પ્રતિભાના ધની કમલ હસન ચાલીસ વર્ષ કરતા વધુ સમયથી સિલ્વર સ્ક્રીન પર ચમકી રહ્યા છે. તેમણે તમિલ, તેલુગુ, મલયાલમ, કન્નડ અને હિન્દી ફિલ્મોમાં ઉત્તમ કામ કર્યું છે. તેની ફિલ્મોના દરેક પાત્રમાં પ્રવેશી જવુ તેની વિશેષતા છે, તેથી જ કમલે જ્યાં પણ કામ કર્યું છે ત્યાં તેમણે અદ્ભુત કામ કર્યું છે.

મનોરંજનનું પૂર્ણ પેકેજ
કમલ હસન માત્ર એક અભિનેતા નથી પરંતુ મનોરંજનનું સંપૂર્ણ પેકેજ છે. અભિનેતા હોવા ઉપરાંત, તે દિગ્દર્શક, પટકથા લેખક, નિર્માતા, પ્લેબેક સિંગર અને ગીતકાર પણ છે. તેઓ ત્રણ વખત નેશનલ એવોર્ડ જીતી ચૂક્યા છે. તેમને મૂંદરમ પીરાઈ, નાયાગન અને ઈન્ડિયન ફિલ્મ માટે રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે.

કમલ હસન બે દીકરીઓના પિતા છે
પોતાના અંગત જીવનને કારણે હંમેશા ચર્ચામાં રહેનાર કમલ હસન બે પુત્રીના પિતા છે. સંપત્તિ, પ્રસિદ્ધિ, બાળકો અને લિવ ઇન રિલેશન પછી પણ આજે કમલ હસન જીવનમાં એકદમ એકલા છે. વર્ષ 2016માં તે અને તેની લિવ ઇન પાર્ટનર ગૌતમી તાડીમલ્લા અલગ થઈ ગયા હતા, બંને 13 વર્ષથી લિવઇન રિલેશનમાં હતા, જેથી બંનેનું અલગ થવું એ એક મોટા સમાચાર હતા.

કમલ હસને બે વાર લગ્ન કર્યા છે
કમલ હસને બે વાર લગ્ન કર્યા છે. તેમના પ્રથમ લગ્ન નૃત્યાંગના વાણી ગણપતિ સાથે થયા હતા, જેની સાથે કમલે 1978માં લગ્ન કર્યા હતા, પરંતુ 10 વર્ષ પછી લગ્ન તૂટી ગયા હતા. આ પછી ફિલ્મ અભિનેત્રી સારિકાએ કમલના જીવનમાં પ્રવેશ કર્યો, જેના વિશે એવું કહેવાય છે કે જ્યારે સારિકા ગર્ભવતી થઈ ત્યારે બંનેએ લગ્ન કરી લીધા હતા.

બે દીકરીઓ શ્રુતિ હસન અને અક્ષરા હસન છે
કમલ હસને 1988માં અભિનેત્રી સારિકા સાથે લગ્ન કર્યા હતા. આ લગ્નથી તેમને બે દીકરીઓ શ્રુતિ હસન અને અક્ષરા હસન છે. કમલ અને સારિકાએ વર્ષ 2004માં છૂટાછેડા લીધા હતા. આ પછી કમલ ગૌતમી તાડીમલ્લા સાથે લિવ ઈનમાં રહ્યા પરંતુ 13 વર્ષ પછી આ સંબંધ ખતમ થઈ ગયો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
