‘વગર કારણે બાઝી પડ્યાં છે એસઓએસ-જેટીએચજે’
મુંબઈ, 7 નવેમ્બર : જબ તક હૈ જાન અને સન ઑફ સરદાર (એસઓએસ) મુદ્દે આજકલ જેટલાં પણ વિવાદો ચાલી રહ્યાં છે, તે તમામ અંગે એક્ટર શાહરુખ ખાન ખૂબ નારાજ છે. તેમને લાગે છે કે સ્ક્રીન્સની તંગી અંગે અજય દેવગન દ્વારા મોકલવામાં આવેલ લીગલ નોટિસ પણ એક બેકારનો તમાશો છે. સાથે જ તેઓ આવિવાદ અંગે લોકોની વાતો સાંભળી એટલાં પરેશાન થઈ ચુક્યાં છે કે તેમને લાગે છે કે હવે આ વાતને વગર કારણે હાઈપ આપવામાં આવી રહ્યું, જ્યારે આ વાતનો કોઈ મતલબ નથી.
શાહરુખે જણાવ્યું - હૃદયને દુભાવવા ઉપરાંત આ મુદ્દો ખૂબ જ મૂર્ખતાપૂર્ણ છે. આ જરાય યોગ્ય નથી. મને નથી ખબર કે આ વિવાદ કઈ રીતે ઉકેલાશે. શું કઈ મને કહી રહ્યું છે કે મારે પોતાની ફિલ્મ શુક્રવારે રિલીઝ ના કરવી જોઇએ? મને સમજાતું નથી. મને આ ખૂબ જ વિચિત્ર અને દિલને દુભાવનારી બાબત લાગે છે. આ બધાનો મતલબ શો છે? ફિલ્મ રિલીઝ થનાર છે અને આપણે એક-બીજાની ફિલ્મ માટે દુઆ કરવી જોઇએ. મને લાગે છે કે બંને ફિલ્મો સારો બિઝનેસ કરશે.

આ સાથે શાહરુખ ખાને એમ પણ જણાવ્યું કે જો સન ઑફ સરદારના નિર્માતાને થિયેટરની સંખ્યા અંગે એટલી ચિંતા હતી, તો તેમણે અગાઉથી થિયેટરો કેમ બુક કરાવ્યા નહિં? કે પછી તેઓ પોતાની ફિલ્મ આગળ-પાછળ પણ રિલીઝ કરી શકતા હતાં. શાહરુખે જણાવ્યું - મારું કહેવું એટલું જ છે કે જો તેઓ થિયેટરોની સંખ્યા અંગે આટલા ચિંતિત હતાં, તો તેમણે અગાઉથી થિયેટરો બુક કેમ ના કરાયાં? હવે કારણ કે આપના બિઝનેસ હાઉસે એમ ના કર્યું અને કોઈ બીજાએ કરી નાંખ્યુ, તો અમારી વિરુદ્ધ કેમ ઊભા છો? આ વાતે આટલો મોટો મુદ્દો કેમ છે?
શાહરુખ ખાને જણાવ્યું કે સન ઑફ સરદાર (એસઓએસ)ની ટીમ ચાહે તો પોતાની ફિલ્મ જબ તક હૈ જાન (જેટીએચજે) પહલે કે પછી પણ રિલીઝ કરી શકે છે, પરંતુ જો તેઓ દીવાળીએ જ રિલીઝ કરવા માંગતા હોય, તો તે જ દિવસે કરી દે. આ વાતને અકારણ મુદ્દો બનાવવાની ક્યાં જરૂર છે. શાહરુખે જણાવ્યું - જો આપની પાસે ઑપ્શન છે, તો આપ ફિલ્મને આ શુક્રવારે રિલીઝ કરી શક્યા હોત. એ પૂર્ણત્વે આપનો ફેંસલો છે. કાં તો આપ એક સપ્તાહ અગાઉ ફિલ્મ રિલીઝ કરો અથવા તો પછી એક સપ્તાહ બાદ. પરંતુ જો આપે એમ નક્કી કરી જ લીધું હોય કે એક જ દિવસે બંને ફિલ્મો રિલીઝ કરવી છે, તો કરો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
