અયોધ્યામાં આજે રામાયણ પર આધારિત ડાંસ ડ્રામા કરશે હેમા માલિની, વીડિયો શેર કરીને કહી આ વાત
Hema Malini Ram Mandir: ઉત્તર પ્રદેશના અયોધ્યામાં 22 જાન્યુઆરી 2024 (સોમવાર)ના રોજ રામ મંદિરનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. હાલમાં રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ પૂર્વેની વિધિઓ શરુ થઈ ગઈ છે. દરેક વ્યક્તિ આ ઐતિહાસિક ક્ષણની રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન હિન્દી ફિલ્મોની એક દિગ્ગજ અભિનેત્રી આ કાર્યક્રમ પહેલા ડાંસ પરફોર્મન્સ આપવા જઈ રહી છે.
તમને જણાવી દઈએ કે રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા માટે બૉલિવૂડ, સાઉથ ઈન્ડસ્ટ્રી, રાજનીતિ અને રમત જગતની ઘણી મોટી હસ્તીઓને આમંત્રણ મોકલવામાં આવ્યા છે. તેની તૈયારીઓ પણ જોરશોરથી ચાલી રહી છે. આ અવસર પર બૉલિવુડની દિગ્ગજ અભિનેત્રી હેમા માલિની પણ રામાયણ પર આધારિત ડાંસ પરફોર્મન્સ આપવા જઈ રહી છે.

અહેવાલ છે કે રામાયણ પર આધારિત આ ડાંસ ડ્રામા બૉલિવુડની ડ્રીમ ગર્લ એટલે કે હેમા માલિની એક ખાસ અવસર પર રજૂ કરશે. અભિનેત્રીએ પોતે એક વીડિયોમાં આ માહિતી શેર કરી છે. તેણે પોતે લોકોને કહ્યું છે કે તે રામ મંદિરના ઉદ્ઘાટનના શુભ અવસર પહેલા નૃત્ય નાટક રજૂ કરતી જોવા મળશે.
આ વીડિયોમાં હેમા માલિની કહી રહી છે - જય શ્રી રામ... હું પહેલીવાર અયોધ્યા આવી રહી છું અને તે પણ એ સમયે જ્યારે રામ લલ્લાના મંદિરનું ઉદ્ઘાટન થવાનું છે. લોકો ઘણા વર્ષોથી આ ક્ષણની રાહ જોઈ રહ્યા હતા. જગત ગુરુ પદ્મ વિભૂષણ તુલસી પીઠાધીશ્વર જગત ગુરુ રામનંદ સ્વામી રામભદ્રાચાર્યજીની 75મી જન્મજયંતિ 14મી જાન્યુઆરીથી 22મી જાન્યુઆરી સુધી ઉજવવામાં આવી રહી છે.
હેમા માલિનીએ વીડિયોમાં આગળ કહ્યું છે - આ જ સમયે હું મારી આખી ટીમ સાથે, મંદિરના ઉદ્ઘાટન અને ગુરુદેવની જન્મ જયંતિ નિમિત્તે અયોધ્યા ધામમાં 17 જાન્યુઆરી 2024ના રોજ સાંજે 7 વાગ્યે રામાયણ પર આધારિત નૃત્ય નાટક રજૂ કરવા જઈ રહી છું. ચાલો આપણે સહુ આ સનાતન ઉત્સવ ઉજવવા અયોધ્યા ધામમાં મળીએ.
તમને જણાવી દઈએ કે, બૉલિવુડની દિગ્ગજ અભિનેત્રી હોવા ઉપરાંત, હેમા માલિની ભારતીય જનતા પાર્ટીના સાંસદ છે. ફિલ્મો બાદ હવે તે રાજકારણમાં પણ સક્રિય છે. હેમા માલિની ઘણીવાર રાજકીય મુદ્દાઓ પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતી જોવા મળે છે. હેમા માલિની હાલમાં બૉલિવુડ અભિનેતા આમિર ખાનની પુત્રી ઇરા ખાન અને જમાઈ નુપુર શિખરેના લગ્નના રિસેપ્શનમાં તેની પુત્રી એશા દેઓલ સાથે જોવા મળી હતી.
#WATCH | BJP leader Hema Malini says, "...I am coming to Ayodhya for the first time at the time of the 'pranpratishtha' of Ram Temple for which people were waiting for years...On January 17, I'll be presenting a dance drama based on Ramayana in Ayodhya Dham..."
— ANI (@ANI) January 14, 2024
(Source: Hema… pic.twitter.com/TjY34WTFNO
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
