Pics : પંખીઓને પાંજરામાં જોઈ દ્રવી ઉઠે છે અદા
મુંબઈ, 12 જૂન : બૉલીવુડ અભિનેત્રી અદા શર્માને આઝાદી ગમે છે અને એટલે જ તેઓ ઇચ્છે છે કે સૌ પોતાની રીતે સ્વાતંત્ર્યપૂર્વક જીવે અને સૌને એવો અધિકાર છે. તેમાં મૂંગા પશુ-પક્ષીઓનો પણ સમાવેશ થાય છે. ખાસ તો અદાનું હૃદય ત્યારે દ્રવી ઉઠે છે કે જ્યારે તેઓ પંખીઓને પાંજરામાં કેદ જુએ છે. કદાચ અદાની આ જ લાગણી તેમને પેટા સાથે જોડાવા માટે પ્રેરી ગઈ.
પંખીઓ પ્રત્યે ક્રૂરતા તથા તેમને પાંજરામાં કેદ કરવાની વિરુદ્ધ પોતાનો ટેકો વ્યક્ત કરવા અદા શર્મા તાજેતરમાં જ પેટાની નવી પ્રચાર ઝુંબેશ સાથે જોડાયાં છે અને તેમણે લોકોને પંખીઓને ખુલ્લા આકાશમાં મુક્ત થઈ ઉડવા દેવાનો અનુરોધ કર્યો છે.
પીપલ ફૉર ધ એથિકલ ટ્રીટમેંટ ઑફ એનિમલ્સ એટલે કે પેટા નામની આ સંસ્થા સામાન્ય રીતે મૂંગા પ્રાણી-પંખીઓના સંરક્ષણ માટે કાર્ય કરે છે. રવિવારે માધુરી દીક્ષિત પણ જ્યારે ઝલક દિખલા જા શોના શૂટિંગ દરમિયાન સાત ગલુડિયાઓને વરસાદમાં પલળતા અને ધ્રુજતા જોઈ દ્રવી ઉઠ્યા હતાં. માધુરીએ ત્યારે પેટાની જ મદદથી ગલુડિયાઓને બચાવ્યા હતાં. હવે પેટાની નવી જાહેરખબર ઝુંબેશસાથે અદા શર્મા પણ જોડાઈ ગયાં છે.
આવો તસવીરો સાથે જાણીએ અદા શર્મા પ્રાણીઓ-પંખીઓ અંગે વધુ શું કહે છે.

લાગણીઓથી જોડાયા અદા
પેટાની જાહેરખબરના શૂટિંગ દરમિયાન અદાએ મીડિયા સાથે વાતચીત કરી અને પંખીઓ સાથેની પોતાની લાગણીઓ વ્યક્ત કરી.

પંખીઓને કેદ ન કરો
અદાએ જણાવ્યું કે પંખીઓને પાંજરામાં કેદ ન કરો. કોઈ પણ જંતુ કે વન્યજીવને ખાસ તો પંખીઓને પાંજરામાં કેદ ન કરવું જોઇએ.

કૂતરા-બિલાડી નથી
તેમણે જણાવ્યું કે પંખીઓ વનમાં રહેતા પ્રાણીઓ છે, નહિં કે કૂતરા અને બિલાડીની જેમ પાલતૂ જીવ.

કેદ કરનાર પ્રોત્સાહનને પાત્ર નથી
અદાએ જણાવ્યું - હું એવા લોકો કે જેઓ પક્ષીઓને કેદમાં રાખે છે, તેમને પ્રોત્સાહિત નહિં કરું.

ગંભીર ગુનો
અદા કહે છે કે પંખીઓને કેદ કરવું ગંભીર ગુનો છે અને આપણે તેમ ન કરવું જોઇએ. 1920 તથા હમ હૈં રાહી કાર કે જેવી ફિલ્મો માટે જાણીતા અદા શર્મા પંખીઓને કેદ જોઈ દુઃખી થઈ જાય છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
